નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસના 29 હજારથી વધુ કેસ નોંધાયા છે. જો કે ગઈ કાલના આંકડા જોઈએ તો નવા કેસમાં 5.6 ટકાનો ઘટાડો થયો છે. 24 કલાકમાં 290 લોકોના કોરોનાથી મોત થયા છે. એક દિવસમાં કોરોના રસીના 71 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. 


એક દિવસમાં કોરોનાના 29 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 29,616 કેસ નોંધાયા છે. હાલ દેશમાં કોરોનાના 3,01,442 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 28,046 દર્દીઓ કોરોનાથી રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,28,76,319 પર પહોંચી ગઈ છે. દેશમાં કોરોનાથી રિકવરીનો રેટ હાલ 97.78% છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube