નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસ (Corona Virus) ના કેસમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 હજારથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે 295 લોકોએ વાયરસથી જીવ ગુમાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક દિવસમાં નવા 30 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 30,256 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 33,478,419 પર પહોંચી છે. ગઈ કાલે 30,773 નવા દર્દીઓ નોંધાયા હતા. જેમાંથી 3,18,181 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 43,938 દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,27,15,105 થઈ છે. 


એક દિવસમાં કોરોનાથી 295 દર્દીના મોત
સરકારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 295 દર્દીઓના મોત થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં થયેલા મૃત્યુની સંખ્યા 4,45,133 થઈ છે. દેશમાં રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલુ છે. જે હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના 80,85,68,144 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 37,78,296 ડોઝ છેલ્લા 24 કલાકમાં અપાયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube