નવી દિલ્હી: દેશમાં કોરોનાની ત્રીજી લહેરમાં રોજેરોજ નવા કેસમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. આજે જાહેર થયેલા નવા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 3.47થી વધુ લાખ નવા કેસ નોંધાયા. જ્યારે એક જ દિવસમાં કોરોના સંક્રમણથી 703 દર્દીઓના મૃત્યુ થયા છે. 


નવા 3.47 લાખ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 3,47,254 કેસ નોંધાયા છે. જે ગઈ કાલ કરતા 29,722 કેસ વધુ છે. હાલ દેશમાં 20,18,825 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 2,51,777 દર્દીઓ કોરોનાને પછડાટ આપીને રિકવર પણ થયા છે. દેશમાં કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ વધીને 17.94% થયો છે. જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ 16.56 ટકા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube