નવી દિલ્હીઃ Coronavirus India: દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર હજુ ચાલી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 35 હજાર 499 નવા કેસ સામે આવ્યા છે. તો 447 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં હવે સક્રિય કેસની સંખ્યા ચાર લાખ બે હજાર 188 છે. દેશનો રિકવરી રેટ વધીને હવે 97.40 ટકા થઈ ગયો છે. 


અત્યાર સુધી વેક્સિનના કેટલા ડોઝ લાગ્યા?
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા પ્રમાણે રવિવારે સાંજે સાત કલાક સુધી દેશમાં લોકોને કોરોના વેક્સિનના 50 કરોડ 68 લાખ 10 હજાર 492 ડોઝ લાગી ચુક્યા છે અને તેમાંથી 55 લાખ 91 હજાર 657 ડોઝ એક દિવસમાં આપવામાં આવ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube