નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના નવા દર્દીઓની સંખ્યાનો ગ્રાફ ઝડપથી નીચે આવી રહ્યો છે. 102 દિવસ પછી દેશમાં 40 હજારથી નીચે કોરોનાના નવા કેસ નોંધાયા છે. મૃત્યુના આંકડામાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 37 હજાર કેસ નોંધાયા છે. જ્યારે 907 લોકોના મૃત્યુ થયા છે. ગઈ કાલે દેશભરમાંથી કોરોનાના નવા 46,148 દર્દીઓ નોંધાયા હતા જ્યારે 979 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

102 દિવસ પછી નોંધાયા આટલા ઓછા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાંથી કોરોનાના નવા 37,566 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 3,03,16,897 થઈ ગઈ છે. હાલ દેશમાં 5,52,659 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં કોરોનાથી 56,994 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં 2,93,66,601 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. 


Corona Vaccine: ગર્ભવતી મહિલાઓ હવે જરાય ખચકાટ વગર મૂકાવે રસી, સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી


Twitter Map Controversy: ટ્વિટર ઈન્ડિયાના MD મનિષ મહેશ્વરી પર ભારતના વિવાદિત નક્શા બદલ થયો કેસ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube