નવી દિલ્હી: કોરોના (Coronavirus) ની બીજી લહેરનો પ્રકોપ હવે દિન પ્રતિદિન ઘટી રહ્યો છે. નવા કેસ અને મૃત્યુના આંકડામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 42 હજાર કેસ નોંધાયા છે. જ્યારે 1167 લોકોના મોત થયા છે. ગઈ કાલે દેશભરમાંથી કોરોનાના નવા 53,256 કેસ નોંધાયા હતા અને 1422 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 


એક દિવસમાં કોરોનાના 42 હજાર નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 42,640 કેસ નોંધાયા છે. જે 91 દિવસમાં સૌથી ઓછા નોંધાયેલા કેસ છે. આ સાથે કુલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો હવે 2,99,77,861 પર પહોંચી ગયો છે. જેમાંથી 6,62,521 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. એક દિવસમાં 81,839 દર્દીઓ રિકવર થયા છે. કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો હવે 2,89,26,038 થયો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube