નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર સતત કાબૂમાં જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 67 હજાર કેસ નોંધાયા છે. જ્યારે 2330 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. ગઈ કાલે કોરોનાના એક દિવસમાં 62,224 નવા કેસ નોંધાયા હતા જ્યારે 2542 લોકોના કોરોનાથી મોત થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક દિવસમાં 67 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 67,208 દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,97,00,313 થઈ ગઈ છે. જ્યારે એક દિવસમાં 1,03,570 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,84,91,670 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. મોતના આંકડામાં પણ હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. 


Covaxin લેનારા લોકો માટે આવ્યા ખુબ જ સારા સમાચાર, WHO એ EOI નો કર્યો સ્વીકાર


24 કલાકમાં કોરોનાના 19 લાખથી વધુ ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશભરમાંથી કોરોનાના કુલ 19,31,249 ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કરાયેલા કુલ ટેસ્ટનો આંકડો હવે 38,52,38,220 થઈ ગયો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube