નવી દિલ્હીઃ ભારતે મંગળવારે ઓડિશાના કિનારા પર ચાંદીપુરમાં 'વર્ટિકલી લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટૂ એર મિસાઇલ' (VL-SRSAM) નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) અનુસાર આ મિસાઇલ લગભગ 15 કિમીના અંતર પર સ્થિત દુશ્મનના ટાર્ગેટને ખતમ કરી શકે છે. 


DRDO એ કહ્યું કે VL-SRSAM ને ભારતીય નૌસેના માટે સ્વદેશી રૂપથી ડિઝાઇન અને વિકસિત કરવામાં આવી છે, જેનો ઉદેશ્ય સમુદ્રી-સ્કિમિંગ ટાર્ગેટ સહિત સરહદ પર વિભિન્ન હવાઈ ખતરાને બેઅસર કરવાનો છે. ડીઆરડીઓ તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે મિસાઇલને ખુબ ઓછી ઉંચાઈ પર સ્થિત ઇલેક્ટ્રિક લક્ષ્યને ધ્વસ્ત કરવા માટે વર્ટિકલ લોન્ચરથી છોડવામાં આવી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube