જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં શનિવારે સાંજે આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના વાહનોના કાફલા પર હુમલો કર્યો. આ હુમલો શાહસિતાર પાસે જનરલ ક્ષેત્રમં એરબેસની બહાર થયો. મળતી માહિતી મુજબ આતંકવાદીઓ વાહનો પર ગોળીઓનો વરસાદ કરી દીધો. ત્યારબાદ વાયુસેનાના જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી. આ ઘટનામાં 5 જેટલા સૈનિકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ  ખસેડાયા છે. 


ઘટના બાદ તરત જ સ્થાનિક રાષ્ટ્રીય રાયફલ્સના યુનિટે વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ અભિયાન શરૂ કરી દીધુ છે. આતંકીઓની શોધખોળ ચાલુ છે. હજુ સુધી કોઈ પણ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube