નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદ પાકિસ્તાન બરાબર ધૂંધવાયું છે. સમુદ્રી રસ્તે પાકિસ્તાન તરફથી સંભવિત આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને ભારતીય નેવીને હાઈ અલર્ટ પર રખાઈ છે. પૂર્વ અને પશ્ચિમ એમ બંને સમુદ્રી સરહદે મુંબઈ જેવા કોઈ આતંકી હુમલાના જોખમને ટાળવા માટે જહાજ અને એરક્રાફ્ટ 24 કલાક હાઈ અલર્ટ પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રાજ્યના લાખો ખેડૂતોને મળશે મોટી ભેટ, 25,000 રૂપિયા સુધીની રકમ એકાઉન્ટમાં જમા થશે


ઉલ્લેખનીય છે કે જેસલમેરમાં પણ પશ્ચીમી સરહદે બીએસએફ અને ભારતીય વાયુસેનાને હાઈ અલર્ટ પર રાખવામાં આવી છે. વાત જાણે એમ છે કે એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે પાકિસ્તાન તરફથી મુજાહિદ્દીન બટાલિયન ઘૂસણખોરી કરી શકે છે. કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદથી રાજસ્થાન અને પંજાબની સરહદે સ્થિતિ તણાવપૂર્ણ છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...