Largest Railway Junction in India: ભારતીય રેલ્વે એ વિશ્વના 5 સૌથી મોટા રેલ્વે નેટવર્કમાંનું એક છે. તમે તેના વિશે જેટલું જાણશો તેટલું જ તમને ગર્વ થશે. આજે અમે તમને ભારતના સૌથી મોટા રેલવે જંક્શન વિશે જણાવીશું, જે ક્યારેય ખાલી નથી રહેતું. અહીં 24 કલાક ટ્રેનોની અવરજવર રહે છે. ભારતના કોઈપણ ખૂણે જવા માટે તમે આ જંકશનથી ટ્રેન પકડી શકો છો. આવો જાણીએ આ જંક્શન ક્યાં છે અને તેની વિશેષતાઓ શું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશનું સૌથી મોટું મથુરા રેલ્વે જંકશન
આ દેશનું સૌથી મોટું રેલ્વે જંકશન છે, મથુરા રેલ્વે જંકશન યુપીના મથુરામાં આવેલ છે. આ જંકશન ઉત્તર મધ્ય રેલવે હેઠળ આવે છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાઓ માટે 7 જુદા જુદા રૂટની ટ્રેનો આ જંકશન પરથી પસાર થાય છે. આ સ્ટેશન પર કુલ 10 પ્લેટફોર્મ છે, જેના પર દરેક સમયે ટ્રેનોની અવરજવર રહે છે.


આ પણ વાંચો:
વાવાઝોડાનું મોટું જોખમ!, 8મી મેના રોજ થશે આ મોટો ફેરફાર, જાણો શું થશે અસર
WHO ની સૌથી મોટી જાહેરાત, હવે કોરોના વાયરસ નથી ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી
મહેસાણાઃ 12 દિવસમાં ચૌધરી પરિવારે 11 લોકો પાસેથી 60 લાખ લીધા, FIRમાં મોટા ખુલાસા



ટ્રેનો સતત પસાર થતી રહે છે
તમે આ જંક્શન (મથુરા રેલ્વે જંક્શન) પર દિવસ કે રાત ગમે ત્યારે આવી શકો છો. તમે અહીંથી સતત સેંકડો ટ્રેનો પસાર થતી જોશો. દેશના કોઈપણ ખૂણે જવા માટે તમે અહીંથી ટ્રેન પકડી શકો છો. આ જંક્શન પર 1875માં પ્રથમ વખત ટ્રેન દોડાવવામાં આવી હતી.  આ પછી, વર્ષ 1889 માં, મથુરા-વૃંદાવન વચ્ચે 11 કિલોમીટર લાંબી મીટરગેજ લાઇન શરૂ કરવામાં આવી.


સ્વચ્છતા વધારવા માટે કામગીરી કરવામાં આવી રહી છે 
રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર મથુરા રેલવે જંક્શન દેશના 100 રેલવે સ્ટેશનોમાંથી એક છે જ્યાં સૌથી વધુ બુકિંગ થાય છે. આ સિદ્ધિ છતાં, જંકશન પર સ્વચ્છતાનો અભાવ રેલ્વે માટે મોટી સમસ્યા છે. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI)ના 2018ના અહેવાલ મુજબ, સર્વેક્ષણ કરાયેલા 75 મોટા સ્ટેશનોમાં આ સ્ટેશનને સૌથી ઓછું સ્વચ્છ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારથી ત્યાં સતત સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે.


(Disclaimer:અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને કચડી નાંખ્યું, 37 બોલ પહેલાં જ જીતી લીધી મેચ
જયશંકરે SCO સમિટમાં PAKને દેખાડ્યો અરીસો, બિલાવલને કહ્યો આતંકવાદની ફેક્ટરીનો પ્રવકતા

રાશિફળ 06 મે: આ જાતકો પર આજે શનિદેવની કૃપાદ્રષ્ટિ રહેશે, ચારેકોરથી લાભ થવાના યોગ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube