ઇન્દોર: પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજના નિધનથી સમગ્ર દેશ શોકમાં છે. ત્યારે પાકિસ્તાનથી ભારત આવેલી ગીતાને પણ ઉંડો આઘાત લાગ્યો છે. ઇન્દોરના મુખબધિર સંગઠનમાં રહેતી ગીતાને પાકિસ્તાનથી ભારત લાવવામાં સુષમા સ્વરાજની મહત્વની ભૂમિકા હતી. સાઇન લેન્ગ્વેજ એક્સપર્ટ સન્દીપ પંડિતે જણાવ્યું કે, ગીતાનું કહેવું છે કે, ‘હું અનાથ થઇ ગઇ છું.’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Video: પાકિસ્તાન ટીવીના સ્ટૂડિયોમાં ઇન્ટરવ્યૂ દરમિયાન સુષમાજીની ‘અટલવાણી’


ગીતાના જણાવ્યા અનુસાર સુષમા સ્વરાજની બીમારીના કારણે એક મહિનાથી તેમની વચ્ચે વાત થઇ શકી ન હતી. જણાવી દઇએ કે, સુષમા સ્વરાજે કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહેલોતને ગીતાની જવાબદારી સોંપી હતી.


દિલ્હી માટે આ વર્ષ ખરાબ રહ્યું, એક જ વર્ષમાં ગુમાવ્યા 3 મુખ્યમંત્રી


પાકિસ્તાનમાં દાયકાથી વધારે સમય પસાર કર્યા બાદ ભારત પરત ફરેલી ગીતાથી તાત્કાલીન વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ખાનગી મુલાકાત કરી હતી. તે દરમિયાન મૂક-બધિર છોકરીને વિશ્વાસ આપ્યો હતો કે, સરકાર તેના પરિવારને શોધવાના તમામ પ્રયાસો કરી રહી છે.


સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતા ભાવુક થયા પીએમ મોદી, અંતિમ સંસ્કારમાં થશે સામેલ


તેમણે જણાવ્યું હતું કે, ગીતાએ સુષમાને તે કપડા બતાવ્યા જેના પર તેણે ભરત કામ કર્યું હતું. આ જોઇને વિદેશ મંત્રીએ ખુશી વ્યક્ત કરી અને આ મૂક-બધિર છોકરીની કલાની પ્રશંસા કરી હતી. ગીતાના પરિવારની શોધખોળના પ્રયાસ અંતર્ગત સુષમાએ 18 ડિસેમ્બર 2015ના ટ્વિટ પર અપીલ કરી હતી કે અને આ મુક-બધિર છોકરીની ઓળખના ચિન્હોનો ઉલ્લેખ કર્યો હતો. વિદેશ મંત્રીએ આ વાતને લઇને ટ્વિટર પર ગીતાની એક તસવીર પણ પોસ્ટ કરી હતી કે જ્યારે તે નાનપણમાં તેના પરિવારજનોથી અલગ થઇ ગઇ હતી ત્યારે તે કેવી દેખાઇ રહી હતી.


#RIPSushmaSwaraj Live: ભાજપની મુખ્ય ઓફિસે લઇ જવામાં આવી રહ્યો છે સુષમા સ્વરાજનો પાર્થિવ દેહ


લગભગ 7-8 વર્ષની ઉંમરમાં ગીતા પાકિસ્તાનની રેન્જર્સને સમજૌતા એક્સપ્રેસમાં લાહોર રેલ્વે સ્ટેશન પર મળી હતી. તેને ઈધી ફાઉન્ડેશનના બિલ્કિસ ઈધીએ દત્તક લીધી હતી અને કરાચીમાં તેમની સાથે રાખી હતી. પાકિસ્તાનમાં એક દાયકાથી વધુ સમય વિતાવ્યા બાદ ગીતા 26 Octoberના રોજ ભારત પરત આવી.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...