પઠાણકોટ: જમ્મૂ પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISIના અહેવાલથી ફિરોઝપુર ડિવીઝન હેઠળ આવનાર પઠાણકોટ શહેરમાં અને કેંટ રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી આપવામાં આવી છે. આ ધમકીની ગંભીરતાને જોતા ફિરોઝપુર રેલ ડિવીઝનથી બધા રેલવે સ્ટેશનોમાં સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યા છે. GRP પઠાણકોટે તેમના અધિકારીઓ આપેલા એલર્ટ પર રહેવાનો આદેશ કર્યો છે. પઠાણકોટ કૈંટ રેલવે સ્ટેશન અને પઠાણકોટ રેલવે સ્ટેશન પર અનિચ્છિત વસ્તુઓ પર ધ્યાન રાખવાનું કહ્યું છે. પાકિસ્તાન એજન્સી ISIએ પઠાણકોટ કૈંટ રેલવે સ્ટેશન અને પઠાણકોટ રેલવે સ્ટેશનને ઉડાવવાની ધમકી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: આતંકીઓના ષડયંત્રને સૈન્યએ કર્યું નિષ્ફળ, જૂઓ બોમ્બ બ્લાસ્ટનો વીડિયો...


જમ્મૂ રેલવે સ્ટેશન પર પણ આ ધમકીની ગંભીરતાને જોતા રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના જવાનોને સ્ટેશન પરિસર અને તેની બહારના વિસ્તારમાં તપાસ અભિયાન શરૂ કર્યું હતું. આ ઉપરાંત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મમાં બેઠેલા યાત્રીઓનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જમ્મૂથી રવાના થતા વિભિન્ન રેલગાડીઓનું ચેકિંગ કર્યા બાદ ત્યાંથી રવાના કરવામાં આવે છે. આરપીએફ પઠાણકોટની તરફતી પક્ષ લખી રેલવેના વિભિન્ન વિભાગોના અધિકારીઓએ ISIની ધમકીને ધ્યાનમાં રાખી સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે.


વધુમાં વાંચો: રામ મંદિરનું કામ કરવાનું છે અને તે થઇને રહશે: RSS પ્રમુખ મોહન ભાગવત


પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ફિરોઝાપુર ડિવીઝનના વરિષ્ઠ અધિકારીઓને એક પત્ર મળ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઇએસઆઇ પઠાણકોટ શહેર અને પઠાણકોટ ચક્કી બેંક રેલવે સ્ટેશનને ઉડાવવાની છે.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...