નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતીના અવસરે થયેલા ઉપદ્રવ મામલે હવે બુલડોઝરની પણ એન્ટ્રી થઈ ગઈ છે. ઉત્તર દિલ્હી નગર નિગમનું કહેવું છે કે આ કાર્યવાહી ગેરકાયદેસર સંપત્તિઓ અને અતિક્રમણ પર થઈ રહી છે. આ કાર્યવાહીને જોતા લગભગ 1500 જવાન તૈનાત કરાયા છે. જહાંગીરપુરીમાં હનુમાન જયંતી પર હિંસા થઈ હતી. આરોપીઓની ગેરકાયદેસર સંપત્તિ પર 20 અને 21 એપ્રિલના રોજ બુલડોઝરથી કાર્યવાહી કરવામાં આવશે. અત્રે જણાવવાનું કે ભાજપે જહાંગીરપુરી હિંસાના આરોપીઓ તરફથી કરાયેલા ગેરકાયદેસર નિર્માણ પર બુલડોઝર ચલાવવાની માંગણી કરી હતી. આ અગાઉ પહેલા ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર દિલ્હીમાં ચાલશે અભિયાન
આ બધા વચ્ચે ઉત્તર દિલ્હી નગર નિગમના મેયર રાજા ઈકબાલ સિંહે કહ્યું કે અતિક્રમણ વિરોધી અભિયાન હવે સમગ્ર દિલ્હીમાં ચાલશે. પહેલા પણ અમે ડ્રાઈવ માટે સુરક્ષાની ગુહાર લગાવી હતી પરંતુ કેટલાક કારણોસર ત્યારે કાર્યવાહી કરાઈ નહતી. એમસીડીના અભિયાન વચ્ચે પોલીસે કહ્યું કે હાલાત કાબૂમાં છે અને કોઈ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે તૈયારી કરવામાં આવી છે. વિસ્તારમાં ડ્રોનની મદદ લેવાઈ રહી છે. 


Jahangirpuri Violence: જહાંગીરપુરી હિંસામાં ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહી, 5 આરોપીઓ પર લગાવી NSA


જહાંગીરપુરી હિંસા: મોંઘી BMW કારનો માલિક છે આરોપી 'પથ્થરબાજ પુષ્પા', Photos જોઈને દંગ રહી જશો


Jahangirpuri Violence: 'પુષ્પા'ની સ્ટાઈલ મારતા આરોપી અંસારનું ચોંકાવનારું બંગાળ કનેક્શન આવ્યું સામે


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube