શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં શનિવાર સવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ આ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યાં જેમાંથી એક દક્ષિણ કાશ્મીરનો ટોચનો જૈશ કમાન્ડર મુન્ના લાહોરી હતો. શુક્રવાર મોડી  રાતે સુરક્ષાદળોને ગુપ્ત બાતમી મળી હતી કે શોપિયા જિલ્લામાં મુન્ના લાહોરી પોતાના સહયોગીઓ સાથે છૂપાઈ બેઠો છે અને કોઈ મોટી વારદાતને અંજામ આપી શકે છે. બાતમીના આધારે સુરક્ષાદળોએ સ્થાનિક પોલીસ સાથે મળીને અભિયાન ચલાવ્યું અને જૈશ કમાન્ડરને ઠાર કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ કાશ્મીરના માછિલ સેક્ટરમાં પાકિસ્તાનના ફાયરિંગમાં ભારતીય જવાન શહીદ 


એક પોલીસ અધિકારીએ આ એન્કાઉન્ટર અંગે જાણકારી આપતા કહ્યું કે એન્કાઉન્ટરમાં જૈશ કમાન્ડર મુન્ના લાહોરીને સુરક્ષાદળોએ ઠાર કર્યો છે. પાકિસ્તાનનો આ આતંકવાદી IED બનાવવામાં અને સ્થાનિક ક્ષેત્રમાં નાગરિક હત્યાના બનાવો માટે જવાબદાર હતો. જૈશએ તેનો બેલ્ટમાં ભરતી કરવા માટે પણ ઉપયોગ કર્યો હતો. 


સુરક્ષાદળોના કાફલા પર હુમલા માટે જવાબદાર
પોલીસ અધિકારીએ જણાવ્યું કે માર્યો ગયેલો જૈશનો કમાન્ડર મુન્ના લાહોરી 30-3-2019ના રોજ બનિહાલમાં સુરક્ષા દળોના કાફલા પર થયેલા આંશિક કાર  બ્લાસ્ટ મામલે જવાબદાર હતો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...