શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના નૌગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. આ અથડામણમાં એક આતંકીનો ખાતમો થયો છે. કહેવાય છે કે નૌગામના વગૂરા વિસ્તારમાં આતંકીઓ છૂપાયેલા હોવાની જાણકારી મળતા સુરક્ષાદળોએ કાર્યવાહી શરૂ કરી અને સર્ચ અભિયાન ચલાવ્યું. 


સુરક્ષાદળોએ અથડામણમાં એક આતંકીને ઠાર કર્યો છે અને વિસ્તારમાં સર્ચ આભિયાન ચાલુ છે. વિસ્તારમાં બે આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી  લીધો  અને કાર્યવાહી કરતા ઓપરેશન શરૂ કર્યું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube