Jammu Kashmir: સુરક્ષાદળોના અભિયાનોથી નાસીપાસ થયેલા આતંકીઓ હવે કાયરતાપૂર્ણ હરકતો કરીને નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યા છે. આતંકીઓએ કુલગામમાં એક શિક્ષિકાની ગોળી મારીને હત્યા કરી નાખી. શિક્ષિકાની ઓળખ રજની તરીકે થઈ છે. તેમના પતિનું નામ રાજકુમાર છે. અને તેઓ જમ્મુના સાંબા જિલ્લાના હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ આ ઘટના કુલગામના ગોપાલપોરામાં ઘટી. જ્યાં હાઈ સ્કૂલની શિક્ષિકા પર આતંકીઓએ ફાયરિંગ કર્યું. ઘાયલ મહિલાને તરત હોસ્પિટલ લઈ જવાઈ. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું. સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરીને સર્ચ અભિયાન શરૂ કરી દીધુ છે. 


કાશ્મીર પોલીસે આ ઘટનાની જાણકારી આપી. પોલીસનું કહેવું છે કે હુમલામાં સામેલ આતંકીઓની જલદી ઓળખ કરી નાખવામાં આવશે અને તેમને તેની સજા અપાશે. અત્રે જણાવવાનું કે કાશ્મીર ખીણમાં ટાર્ગેટ કિલિંગનો સિલસિલો થમતો જોવા મળતો નથી. આ અગાઉ તાજેતરમાં જ આતંકીઓએ બડગામમાં કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની તહસીલ પરિસરમાં ઘૂસીને હત્યા કરી હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube