નવી દિલ્હી: રાજ્યસભામાં સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર પુર્નગઠન વિધેયક 2019 (Jammu Kashmir Reorganization Bill 2019)  રજુ કર્યું જે બહુમતીથી પસાર પણ  થઈ ગયું. આ વિધેયકમાં પ્રદેશને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી દેવાયો છે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભાવાળો કેન્દ્રશાસિત પ્રદેશ અને લદ્દાખ વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ બનશે. આ બિલના પક્ષમાં 125 અને વિરોધમાં 61 મત પડ્યાં. આ અગાઉ ગૃહ મંત્રીએ રાજ્યસભામાં આ બિલ રજુ કર્યું ત્યારબાદ હાબાળા સાથે ચર્ચા થઈ અને ત્યારબાદ બિલ પર મતદાન થયુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યસભામાં સોમવારે બિલ રજુ કરતા પહેલા સરકારે ખુબ સાવધાની રાખી. આ અંગે કોઈને પણ સૂચના નહતી. સુરક્ષા કારણોસર સરકારે સમગ્ર જમ્મુ અને કાશ્મીરને પર્યટકોથી ખાલી કરાવી લીધુ હતું. અમરનાથ યાત્રા અધવચ્ચે જ રોકી દીધી. આ સાથે જ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીઓ મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાને નજરકેદ કરી લીધા હતાં. પ્રદેશમાં ભારે સુરક્ષાકર્મીઓ તહેનાત કરી દેવાયા. આ બધી તૈયારીઓ છતાં કોઈ સમજી શક્યું નહીં કે મોદી સરકારનું આખરે પ્લાનિંગ શું છે. 


કોઈ પણ વિરોધી પક્ષને ગંધ સુદ્ધા ન આવી
રાજ્યસભામાં આ બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના ગુલામનબી આઝાદે તો એટલે સુધી કહી દીધુ  કે અચાનક આ બિલ લાવવું એ બોમ્બ ફોડવા જેવું છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...