નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં ગત મંગળવારે રાત્રે એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી. મૃતકની ઓળખ શબીર અહમદ ભટના રૂપમાં થઇ છે, જોકે ગત લાંબા સમયથી પાર્ટી સાથે જોડાયેલો હતો. આતંકવાદીએ આ ઘટનાને પુલવામાના રખ-એ-લિટ્ટરમાં અંજામ આપ્યો.


ન્યૂઝ એજન્સી એએનઆઇના અનુસાર આતંકવાદીએ મોડી રાત્રે 2.30 વાગે ભટની તેના ઘરે ગોળી મારીને હત્યા કરી દીધી. કેસ તપાસ ચાલી રહી છે અને આતંકવાદીઓની શોધખોળ ચાલુ છે.