બેંગ્લુરુ: કર્ણાટકના મંત્રી જી ટી દેવગૌડાએ સત્તાધારી ગઠબંધન સહયોગીઓ વચ્ચે બધુ હેમખેમ ન હોવાની વાત તરફ ઈશારો કરતા બુધવારે કહ્યું કે એવું શક્ય છે કે તેમની પાર્ટી જેડી(એસ)ના કાર્યકરોએ મૈસુરુ તથા અન્ય જગ્યાઓ પર લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપને મત આપ્યો હોય. જો કે ત્યારબાદ તેમણે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે તેમણે આ વાત ફક્ત મૈસુરુ સંસદીય બેઠકની ઉદબૂર માટે જ કહી હતી, અન્ય વિસ્તારો માટે નહીં. તેમણે મૈસૂરુના કોંગ્રેસ ઉમેદવાર સી એચ વિજયશંકરની જીતનો ભરોસો વ્યક્ત કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ અને જેડી(એસ)એ મળીને લોકસભા ચૂંટણી લડી છે. પરંતુ સીટોની ફાળવણી અંગે બંને પાર્ટીઓના સભ્યોમાં મતભેદ થયા હતાં. બંને પક્ષ સરકાર  બનાવવા માટે સાથે આવતા અગાઉ એક બીજાના કટ્ટર વિરોધી હતા. દેવગૌડાએ મૈસુરુમાં પત્રકારોને કહ્યું કે બંને પાર્ટીઓ વચ્ચે કેટલાક મતભેદો હતાં. ઉદાહરણ કરીતે ઉદબુરના લોકો ત્યાં કોઈ પંચાયત ચૂંટણીની જેમ લડ્યાં. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...