નવી દિલ્હી: હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને જનનાયક જનતા પાર્ટી(JJP)નું સમર્થન મળ્યું છે. જેજેપીએ સમર્થન આપ્યા બાદ હવે હરિયાણામાં ભાજપની સરકાર બનવાનું નક્કી થઈ ગયું છે. જો કે આ ગઠબંધનથી કોંગ્રેસ ભડકી છે. દિલ્હીમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ગઠબંધન સરકારની જાહેરાત બાદ હવે સ્પષ્ટ થઈ ગયું કે રાજ્યમાં કોંગ્રેસને સારી બેઠકો મળવા છતાં સરકાર બનવાની કોઈ શક્યતા નથી. જેજેપી નેતા દુષ્યંત ચૌટાલાની દરેક શરત માનવા તૈયાર રહેલી કોંગ્રેસે તાજા ઘટનાક્રમ બાદ હવે જેજેપી પર ભડાશ કાઢી છે અને તેને ભાજપની બી ટીમ ગણાવી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પરિણામોથી કોંગ્રેસ ગેલમાં, રાહુલ ગાંધીને રિલોન્ચ કરવાની તૈયારી, દિગ્ગજ નેતાએ આપ્યા સંકેત 


કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે 'ઢોલ કી પોલ' ખુલી ગઈ છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે આખરે ઢોલની પોલ ખુલી જ ગઈ. જેજેપી-લોકદળ ભાજપની બી ટીમ હતાં અને હંમશા રહેશે. જ્યારે ભાજપને સમાજના ભાગલા પાડીને સત્તા મેળવવી હોય તો ક્યારેક રાજકુમાર સૈની અને ક્યારેક જેજેપી-લોકદળ કઠપૂતળી બનીને ઊભા રહી જશે. જનતા હવે તો અસલિયત જાણી છે અને ઓળખી ગઈ છે. 



તેમણે કહ્યું કે પ્રદેશની જનતાએ મનોહરલાલ ખટ્ટરની સરકારને મેન્ડેટ આપ્યું નથી. જેજેપી પણ ભાજપ સાથે ગઠબંધન નહીં કરવાના પોતાના વચનથી ફરી ગઈ છે. સચ્ચાઈ એ છે કે ખટ્ટર સરકારને પ્રદેશની જનતાએ મેન્ડેટ નથી આપ્યું અને જેજેપી પણ ભાજપ વિરુદ્ધ સમર્થન માંગી માંગીને 10 સીટો મેળવી ગઈ છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...