નવી દિલ્હી: જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (jawaharlal nehru university) ના વાઈસ ચાન્સેલર જગદીશકુમાર (Jagdish Kumar)  પર આજે કેટલાક વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હોવાના અહેવાલ છે. વીસી (VC)  સાથે હાથાપાઈ કરવાની પણ કોશિશ કરવામાં આવી. તેમની કારને પણ ટારગેટ કરાઈ. હુમલો સાંજે લગભઘ 5 વાગ્યાની આસપાસ થયો. જેએનયુ વીસી જગદીશકુમારે ઘટના અંગે જણાવતા કહ્યું કે આજે મારા પર હુમલો થયો. મને આર્ટ્સ એન્ડ એસ્થેટિક્સ સ્કૂલ સુધી જવું હતું પરંતુ મને 10-15  વિદ્યાર્થીઓએ ઘેરી લીધો. તેઓ મારા પર હુમલો કરવાના ઈરાદાથી આવ્યાં હતાં. સદભાગ્યે મને સિક્યુરિટીએ બચાવી લીધો અને હું ત્યાંથી નીકળવામાં સફળ રહ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાવરકર પર સંગ્રામ: શિવસેના નેતાએ કહ્યું-મહારાષ્ટ્ર અને દેશ માટે દેવતા છે વીર સાવરકર


જેએનયુ ગત માસથી ચર્ચાના કેન્દ્રમાં છે. જેએનયુ (JNU) ના વિદ્યાર્થીઓ ફી વધારાને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. તેમની માગણીઓને જોતા માનવ સંસાધન વિકાસ મંત્રાલયે એક પેનલની પણ રચના કરી છે. આ  બાજુ ગુરુવારે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ દ્વારા પ્રશાસનિક બ્લોક પર કબ્જા બાદ પહેલીવાર પોતાના કાર્યાલય આવેલા કુલપતિએ 18 છાત્રાવાસના અધ્યક્ષો સાથે બેઠક કરી પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહીં. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


 દેશના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....