નવી દિલ્હીઃ જવાહર લાલ નેહરુ યુનિવર્સિટી (JUN)માં છાત્રો પર હુમલો કરનાર માસ્કધારી હુમલાખોરોની ઓળખ દિલ્હી પોલીસે કરી લીધી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે દિલ્હી પોલીસે કેટલાક માસ્કધારી હુમલાખોરોની ઓળખ કરી છે. દિલ્હી પોલીસે આ મામલામાં પત્રકાર પરિષદ યોજી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્રકાર પરિષદમાં શું કહ્યું દિલ્હી પોલીસે?
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જોય ટિર્કીએ કહ્યું કે, જેએનયૂ હિંસા મામલાની તપાસને લઈને ઘણા પ્રકારની ખોટી જાણકારી ફેલાવવામાં આવી રહી છે. 1 જાન્યુઆરીથી લઈને 5 જાન્યુઆરી સુધી રજીસ્ટ્રેશન થવાનું હતું. પરંતુ SFI, AISA, AISF અને DSFના વિદ્યાર્થી સંગઠનોએ છાત્રોને રજીસ્ટ્રેશન કરતા રોક્યા હતા. રજીસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓને ધમકાવવામાં આવી રહ્યાં હતા. ત્યારબાદ વિવાદ સત વધતો ગયો અને પાંચ જાન્યુઆરીએ પરિયાર તથા સાબરમતી હોસ્ટેલના કેટલાક રૂમમાં હુમલો કરવામાં આવ્યો હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો ભારતના અન્ય સમાચાર