નવી દિલ્હીઃ જેએનયૂ હિંસા મામલામાં પોલીસે અત્યાર સુધી તપાસ પ્રમાણે કેટલાક નામ સામે રાખ્યા છે. તેમાં જેએનયૂ સ્ટૂડન્ટ યૂનિયનની અધ્યક્ષ આઇશી ઘોષનું નામ પણ સામેલ છે. પોસીસ દ્વારા જણાવવામાં આવેલા નામોમાં ત્રણ એબીવીપી અને સાત લેફ્ટ સાથે જોડાયેલા છે. પોલીસની પત્રકાર પરિષદ બાદ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, પાંચ દિવસથી ચાલી રહેલા જૂઠનો પર્દાફાશ થઈ ગયો છે. તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ કહ્યું કે, જેએનયૂના લેફ્ટનો નકાબ હટી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્મૃતિ ઇરાનીએ કહ્યું, તેણે મારામારી કરી, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું જે આપણા દેશના ટેક્સપેયર્સના ટેક્સથી બને છે. છાત્રોને રજીસ્ટ્રેશન કરાવવાથી રોક્યા અને કેમ્પસને રાજનીતિનો અખાડો બનાવી દીધો છે. હવે દિલ્હી પોલીસે સત્યા સામે લાવી દીધું છે. 


JNU હિંસાઃ હુમલાખોરોની થઈ ઓળખ, દિલ્હી પોલીસે જારી કરી 9 લોકોની તસવીરો


શનિવારે પોલીસે જણાવ્યું હતું કે હિંસામાં સામેલ 10 લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. તેમાં જેએનયૂએસયૂની પ્રમુખ આઇશી ઘોષ પણ સામેલ હતી. તેને નોટિસ મોકલીને જવાબ માગવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે તબક્કાવાર રીતે જેએનયૂ ઘટનાક્રમને જણાવ્યો હતો. પોલીસ પ્રમાણે વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરાવવાથી રોકવામાં આવ્યા અને પછી સર્વર રુમમાં તોડફોડ થઈ હતી. 5 જાન્યુઆરીએ દિવસે પહેલા પેરિયાર હોસ્ટેલમાં હુમલો થયો હતો. તેમાં આઇશી ઘોષ પણ સામેલ હતી. ત્યારબાદ માસ્કધારીઓએ સાબરમતી હોસ્ટેલ પર હુમલો કર્યો હતો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો ભારતના અન્ય સમાચાર