નવી દિલ્હી: ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાએ ZEE NEWSના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરીને આપેલા એક ખાસ ઈન્ટરવ્યુમાં કહ્યું કે, દેશમાં કોરોના સંકટ દરમિયાન કોંગ્રેસે રાજકારણ રમ્યા સિવાય કશું કર્યું નથી. ગાંધી પરિવારે મજૂરોની મજાક ઉડાવી, પહેલા તેમણે લોકડાઉન લગાવવા પર સવાલ ઉઠાવ્યાં અને જ્યારે લોકડાઉનમાંથી દેશને બહાર લાવવામાં આવી રહ્યો છે ત્યારે સવાલ ઉઠાવતા કહ્યું કે આટલી ઉતાવળ કેમ? અર્થવ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યાં. તેમણે કહ્યું કે મને લાગે છે કે અર્થવ્યવસ્થાનો કર્વ નહીં, ક્યાંક રાહુલ ગાંધીનું દિમાગ તો ફ્લેટ નથી થઈ ગયુ ને.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

#IndiaKaDNA LIVE: કોરોના પર PM મોદીએ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો-યોગી આદિત્યનાથ


જે પી નડ્ડાએ વાતચીત કોરોના સંકટને પહોંચી વળવા માટે સરકાર દ્વારા અપનાવવામાં આવેલી રણનીતિ, આગામી બિહાર વિધાનસભા ચૂંટણી, અને ભારત-ચીન સરહદ વિવાદ પર પોતાની વાત રજુ કરી. તેમણે કહ્યું કે, 'કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ કોઈ પણ સંજોગોમાં લોકડાઉનને હટાવવા માંગતા નહતાં. ગાંધી પરિવારે મજૂરો પર રાજકારણ ખેલ્યું અને સંપૂર્ણ રીતે બેજવાબદાર વ્યવહાર પ્રદર્શત કર્યો. ગાંધી પરિવારે મજૂરોની મજાક ઉડાવી.'


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube