જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચૂડે આજે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI)ના પદના શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનમાં દેશના 50માં CJI તરીકે તેમને શપથ લેવડાવ્યા. જસ્ટિસ ચંદ્રચૂડના પિતા પણ દેશના CJI રહી ચૂક્યા છે. તેમના પિતાનો CJI તરીકેનો કાર્યકાળ લગભગ સાત વર્ષ અને ચાર મહિનાનો રહ્યો હતો. જે સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં કોઈ પણ CJI નો અત્યાર સુધીનો સૌથી લાંબો કાર્યકાળ છે. તેઓ 22 ફેબ્રુઆરી 1978થી 11 જુલાઈ 1985 સુધી CJI રહ્યા હતા. 


જસ્ટિસ ચંદ્રચૂડ 10 નવેમ્બર 2024થી બે વર્ષ માટે CJI ના પદ પર રહેશે. તેમણે જસ્ટિસ ઉદય ઉમેશ લલિત (યુ યુ લલિત)ની જગ્યા લીધી છે. જેમણે 11 ઓક્ટોબરના રોજ જસ્ટિસ ચંદ્રચૂડને પોતાના અનુગામી બનાવવા માટે ભલામણ કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમને 17 ઓક્ટોબરના રોજ આગામી CJI નિયુક્ત કર્યા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube