નવી દિલ્હી: કેરળના સબરીમાલા મંદિર (Sabrimala Temple)માં મહિલાઓના પ્રવેશને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે એક અનોખો મામલો સામે આવ્યો છે. હકીકતમાં ભગવાન અયપ્પાના દર્શન માટે જઈ રહેલા 13 લોકોના એક સમૂહમાં એક કૂતરો સતત 18 દિવસથી પગપાળા તેમની સાથેને સાથે જ જઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ કર્ણાટકથી કેરળ સ્થિત સબરીમાલાના દર્શન માટે પગપાળા નીકળેલા 13 શ્રદ્ધાળુઓની આ ટોળી રવિવાર સુધીમાં 480 કિમીની મુસાફરી પૂરી કરી ચૂકી છે. આ કૂતરો પણ સતત તેમની સાથે જ ચાલી રહ્યો છે. સમાચાર એજન્સી એએનઆઈએ તેનો વીડિયો પણ શેર કર્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube