બેંગલુરુ/નવી દિલ્હીઃ કર્ણાટકમાં કોંગ્રેસ-જેડી(એસ) ગઠબંધન સરકાર પર સંકટના વાદળો ઘેરા બનતાં જઈ રહ્યા છે. બંને પક્ષના કુલ મળીને લગભગ 14 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધાં છે. જોકે, તેમનાં રાજીનામાનો હજુ સુધી વિધાનસભા સ્પીકર દ્વારા સ્વીકાર કરાયો નથી, પરંતુ બંને પક્ષો તરફથી આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના ધારાસભ્યો સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવાની માગ કરી રહ્યા છે, તો જેડીએસના ધારાસભ્યો એવા આરોપ લગાવી રહ્યા છે કે, આ ગઠબંધન જનતાની અપેક્ષાઓ પુરું કરી શક્યું નથી. 10 બળવાખોર ધારાસભ્યોને બેંગલુરુથી ચાર્ટર્ડ પ્લેન મારફતે મુંબઈ લઈ જવાયા હતા. 


સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવા કોંગ્રેસીઓની માગ, અત્યાર સુધી 14 રાજીનામા


આ બાજુ સંકટમાં ઘેરાઈ ગયેલી કોંગ્રેસે દિલ્હીમાં એક ઈમરજન્સી બેઠક બોલાવી છે, જેમાં પાર્ટીના તમામ મોટા નેતાઓ ભાગ લેવા આવી પહોંચ્યા છે. પી. ચિદમ્બરમ, રણદીપ સુરજેવાલા, જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના નેતાઓ આ બેઠકમાં પહોંચ્યા છે. આ બેઠક પછી કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ સંકટ માટે ભાજપને જવાબદાર ઠેરવી છે. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....