Awantipora Encounter: જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓએ ટીવી અભિનેત્રી અમરિન ભટની હત્યા કરીને દહેશત પેદા કરવાની કોશિશ કરી પરંતુ સુરક્ષાદળોએ ગણતરીના કલાકોમાં તે આતંકીઓને મોતને ઘાટ ઉતારી તેમના અંજામે પહોંચાડી દીધા. અવંતીપોરામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકીઓ ઠાર થયા જે અમરિનની હત્યામાં સંડોવાયેલા હતા. આ ઉપરાંત શ્રીનગરમાં પણ બે આતંકી ઠાર થયા. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી મોટા પાયે હથિયારો મળી આવ્યા છે. પોલીસ હવે આતંકીઓને શરણ આપનારા સ્લિપર સેલની શોધમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ અને કાશ્મીરના આઈજીપી વિજયકુમારે માહિતી આપતા કહ્યું કે અવંતીપોરાના અગનહાંજીપોરા વિસ્તારમાં બાતમી મળ્યા બાદ સર્ચ અભિયાન શરૂ કરાયું. સર્ચ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કરવા માંડ્યું અને પછી અથડામણ શરૂ થઈ. અથડામણમાં બંને આતંકીઓ ઠાર થયા. તેમણે માર્યા ગયેલા આતંકીઓની ઓળખ આપતા કહ્યું કે તેમની ઓળખ બડગામ રહીશ શાદી મુશ્તાક ભટ અને પુલવામાના ફરહાન હબીબ તરીકે થઈ છે. બંનેએ લશ્કર એ તૈયબાના કમાન્ડર લતીફના કહેવા પર ટીવી અભિનેત્રી અમરિન ભટની હત્યા કરી હતી. તેમની પાસેથી એક પિસ્તોલ, 4 ભરેલી મેગેઝીન અને એક એ કે 56 રાઈફલ મળી આવી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube