નવી દિલ્હી: કોરોના વાયરસને લઈને દિલ્હીની કેજરીવાલ સરકાર દ્વારા કરાયેલા દાવા ફેલ થતા જોવા મળી રહ્યાં છે. દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે અને હોસ્પિટલોમાં પણ યોગ્ય સારવારના તમામ દાવા પોકળ સાબિત થઈ રહ્યાં છે. સંક્રમણને ફેલાતું અટકાવવામાં દિલ્હીની કેજરીવાલ સરકાર સતત નિષ્ફળ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હી સરકારની હોસ્પિટલોમાં ફક્ત દિલ્હીના મૂળ લોકોની જ સારવાર થશે. જ્યારે બાકીના લોકોએ સારવાર કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં કરાવવી પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભેદભાવ કરવાનો આરોપ
દિલ્હીમાં જે વ્યક્તિ બહારથી અભ્યાસ કે કામ માટે આવ્યો છે અને જો કોઈ કારણસર તે કોરોનાની ઝપેટમાં આવી જાય તો તેણે અનેક સમસ્યાનો સામનો કરવો પડશે. અરવિંદ કેજરીવાલના આ નિર્ણયથી રાજકીય પક્ષો કેજરીવાલ સરકાર પર પ્રહારો કરી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ નિર્ણય તેમણે વિશેષજ્ઞોની સમિતિની ભલામણ પર લીધો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube