નિરજ ચોકસી, અમદાવાદઃ "દુનિયાના વિરોના દિધેલા બલીદાનોમાં ભપક્યો કસુંબીનો રંગ સાગરની ધારે સ્વાધીન્તાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ" ધર્મ યુદ્ધ સદીઓથી ચાલતું આવે છે.ધર્મ માટે માથા લેવા પણ પડ્યા છે અને આપવા પણ પડ્યા છે.આ યુદ્ધોમાં માથા દેવાના હોય કે આપવાના હોય તેની સાક્ષી બની હોય તો તે છે તલવાર.આ તલવારને જોઈ રક્ષા માટે જુનનું ઉપડે છે. તલવાર એક એવું હથિયાર જે 19મી સદી સુધીનું સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે સમયે રાજા-મહારાજાઓ, બાદશાહો, સેનાપતિઓ અને સૈનિકો સૌ કોઈ આજ તલવારના દમ પર પોતાના તખ્ત-ઓ-તાજની રક્ષા કરતા હતાં. તલવારનો ઈતિહાસ પણ ખુબ અનોખો છે. રાજાઓ તલવારના સંકેત પર યુદ્ધ લડતા હતાં. એવી માન્યતા છેકે, તે સમયે મ્યાનમાંથી બહાર આવતી તલવાર યુદ્ધમાં જીતનો સંકેત આપતી હતી. જેથી રાજાઓ સંખ્યાબંધ તલવારોમાંથી એ જ તલવારને પસંદ કરીને યુદ્ધ લડતા હતાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


તલવાર વિશેની પ્રાથમિક માહિતી
તલવાર લાંબી ધારવાળું ધાતુનું શસ્ત્ર છે,જે દુનિયાની મોટાભાગની સંસ્કૃતિઓમાં વપરાય છે. તલવારના મુખ્યત્વે બે ભાગ હોય છે. હાથમાં પકડાય તે ભાગને મુઠ અને જે ભાગ થકી વાર કરાય તે ભાગને પાનું કહેવાય છે.
૧:પાનું
૨:મુઠ
પાનાના આઠ અંગ


1) દુમાલા 5) જોત
2) પીપલા 6) અણી
3) ખજાનો 7) ધાર
4) પેટા 8) પીઠ

જ્યારે મુઠના મોગરા,બતાસા,કટોરી,પૂતળા,ઠોલા,નખ્ખા,ચોક,પરજ,કંગણી,કંઠી અને જનોઈ એવા 99 અંગો હોય છે. તલવાર એક ધાર વાળી તથા બે ધાર વાળી એમ બે પ્રકારની હોય છે.ભારતીય તલવારને ખાંડુ પણ કહેવાય છે.તલવાર માન અને મોભાનું પ્રતિક પણ છે.કાઠિ સંસ્કૃતિ મુજબ તલવારના બાર અંગ છે અને તેનો બાપલભાઈ ચારણે દુહો પણ કીધો છે. "કલા નથ વાટકી કોટિયા પીંછી પૂતળિયા પાનું, મોર ખોળી મોવટો બાપલ મયાન ધાર બખાનું."


અશ્વ હતા રાજાની આન બાન શાન, જાણો ભારતના મહારાજાઓના અશ્વોની વીરતાની કહાની



તલવારના બાર અંગ


1) નથ 7) મોવટો
2) કલા 8) મયાન
3) વાટકી 9) ખોળી
4) પૂતળિયા 10) ધાર
5) કોટિયા 11) મોર
6) સાપટિયા 12) પાનું આ મુજબના બાર અંગ ગણાવ્યા છે.

તલવારના ઉપરના ભાગે નથ આવે છે અને તેમાં નેત્ર હોય છે અને તે 30 છે. શસ્ત્રના માહિતગાર હોય તેજ નેત્રને ઓળખી શકે છે.


તલવારમાં 30 પ્રકારના આવે છે નેત્ર


1) ચક્ર 11) વત્સ 21) મયુર
2) ખડગ 12) લિંગ 22) જીવ્હા
3) ગધ 13) ધ્વજ 23) દશન
4) પદમ 14) ઈંદુ 24) પુત્રિકા
5) ડમરુ 15) કુંભ 25) ચામર
6) ધનુષ્ય 16) શાર્દુલ 26) શૈલ્ય
7) અંકુશ 17) સિંહ 27) પુષ્પમળા
8) છત્ર 18) સિંહાસન 28) ભુજાંગ
9) પતાકા 19) ગજ 29) શૂળ
10) વીણા 20) હંસ 30) જ્યોત આ નામથી નેત્ર હોય છે.

ભારતીય તલવારોની માહિતી
'ગ્રંથ પ્રતાપ શસ્ત્રગાર' અનુસાર તલવારના ચાર રંગ છે અને આઠ અંગ છે.
તલવારના રંગ
1.આસમાની
2. કાળો
3. ધૂમાડિયો
4. પીંગટ
તલવારના આઠ અંગ


1) અંગ 5) અરિષ્ટ
2) રૂપ 6) ભૂમિ
3) જાતિ 7) ધ્વનિ
4)  નેત્ર 8) પરિણામ

બ્રાહ્મણ,ક્ષત્રિય,વૈશ્ય અને શૂદ્ર એમ તલવારની ચાર જાતિ ઉપરાંત પાંચમી વર્ણસંકર જાતિ પણ છે,બ્રહ્મણ જ્ઞાતિની તલવાર સર્વશ્રેષ્ઠ અને ઉતકૃષ્ટ પ્રકારની ગણાય છે.તેનો ધ્વનિ મધુર હોય છે તેનાથી નાનકડો જખમ થાય તો પીડા વધુ થાય છે.આ તલવાર હિમાલય અને કુશદ્વિપમાં બનતી હતી.ભારતના,ગુજરાત,સૌરાષ્ટ્ર અને કચ્છના કસબી કારીગરો અનેક તલાવરો બનાવતા.દિલ્હીશઈ,ઔરંગજેબી,સિંધી,હકીમખાની,બંગલા,ગુજરાતી,પુરબિયા,બૂજી,સિરોહી,જોધપુરી,કર્ણાટકી,શેરદણ,મુલ્હેરી,ઈરાની-અસલી,નકલી,પોપટ ઘાટી,સુરઘાટી,ગારદી,રામપુરૂ,ઉદેપુરી,જાફરાબાદી,ફૈજાબાદી અને અરબી જેવી 40 પ્રકારની મુઠોમાંથી જાણીતી તલવારો બનતી.



તલવારોની મુઠ પર નકશીકામ કરનાકરા કારીગરો.ફટકડી,મીઠું અને હીરાકસીનો પાવડર લગાવી નાઈટ્રિક એસિડ,ચાંદી અને પાણીનું મિશ્રણ કરી ગરમ પ્રવાહીમાં મુઠ બોળીને એના પર જસતના ટૂકડાંથી ઈચ્છીત નકશી પાડતા.રસાણીયા કારીગરો મુઠને ગરમ કરી તેના પર ચાંદીનો અને પછી સોનાનો ઢાળ ચડાવતા હતા.2 તોલા ચાંદી અને તેના પર અડધા તોલાનો સોનાનો ઢોળ ચડાવવામાં આવતો જેથી તલવાર દમદાર દેખાતી અને એની મુઠ પંદર વર્ષ સુધી એવી રહે છે.


સારી ખુદાઈ એક તરફ, જોરુ કા ભાઈ એક તરફઃ "સાળા" શબ્દ ક્યાંથી આવ્યો, જાણો રસપ્રદ ઈતિહાસ

રામાયણ મહાભારતના સમયમાં સોનાના મુઠવાળી લોખંડની તલવારોનું પ્રચલન હતું.રામાયણના રચયિતા વાલ્મિકી નોંધે છે કે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીની તલવાર હેમપરિસ્કૃત એટલેકે સોનાની મઢેલી હતી.મહાભારતના સમયમાં પ્રાગ્જ્યોતિષપુરની હાથી દાંતની મુઠવાળી તલવારો જાણીતી હતી. આ યુગમાં તલવારો પર હીરા જળવાની શરૂઆત થઈ.તલવારના ઉપયોગનો ઉલ્લેખ રામાયણ કાળ પહેલાનો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube