કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly elections) ને ધ્યાનમાં રાખી તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ પોતાનું ઘોષણાપત્ર જાહેર કરી દીધું છે. ઘોષણાપત્ર જાહેર કરતા મમતા બેનર્જીએ પોતાના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, લૉકડાઉન દરમિયાન અમે બંગાળમાં લોકોના ખાવા-પીવાની વ્યવસ્થા કરી અને બધાનું ધ્યાન રાખ્યું. તેમણે કહ્યું કે, ટીએમસી સરકારમાં લોકોની આવકમાં વધારો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘોષણાપત્ર જાહેર કરવા દરમિયાન તેમણે કહ્યું કે, તેમના સ્વાસ્થ્યને કારણે ઘોષણાપત્ર જાહેર કરવામાં મોડું થયું છે. તેમણે કહ્યું કે, તમે બધા જાણો છો કે અમે બધા વચનો પૂરા કર્યા છે. અમે લોકોએ જે કામ કર્યું છે તેની પ્રશંસા વિશ્વમાં થઈ રહી છે. અમને યૂએનમાંથી પુરસ્કાર પણ મળ્યો છે. અમે 100 દિવસના કામના નામલામાં નંબર એક છીએ. અમે રાજ્યમાં 40 ટકા ગરીબી ઘટાડી છે. અમે કિસાનોની આવક ત્રણ ગણી વધારી છે. 


ઉત્તરાખંડના CM તીરથ સિંહ રાવત બોલ્યા, ફાટેલું જીન્સ પહેરે છે મહિલાઓ, આ કેવા સંસ્કાર?


મહત્વનું છે કે પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં 27 માર્ચસ એક એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ અને 29 એપ્રિલે મતદાન થશે. રાજ્યમાં મતગણતરી 2 મેએ થશે. પશ્ચિમ બંગાળ વિધાનસભાનો કાર્યકાળ 30 મે 2021ના પૂરો થઈ રહ્યો છે. તેવામાં 30 મે પહેલા કોઈપણ સ્થિતિમાં વિધાનસભા અને નવી સરકારની રચનાની પ્રક્રિયા પૂરી થવાની છે. પશ્ચિમ બંગાળમાં કુલ 294 વિધાનસભા સીટો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube