કોઝિકોડ: નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કેરળ વિમાન અકસ્માત પર વળતરની જાહેરાત કરી છે. જાણકારી અનુસાર મૃતકના પરિજનોને 10 લાખ રૂપિયા,ગંભીર રીતેગ ઘાયલોને 2 લાખ રૂપિયા અને સામાન્ય ઇજા પહોંચી હોય તેમને 50,000 રૂપિયાથી આર્થિક મદદ આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોઝિકોડમાં થયેલા વિમાન દુર્ઘટના (Kozhikode Air Crash) માં મૃતકોની સંખ્યા 18 થઇ ગઇ છે અને 127 લોકો ઘાયલ થયા છે. એર ઇન્ડિયાનું વિમાન શુક્રવારે સાંજે કોઝિકોડ હવાઇપટ્ટી પરથી લપસીને ખીણમાં પડી ગયું હતું અને બે ટુકડા થઇ ગયા હતા. કોઝિકોડ એરપોર્ટ પર રેક્સ્યૂ ઓપરેશન પુરૂ થઇ ગયું છે અને ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 


કોઝિકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ કરવા ગયેલી નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (DGCA)ની એક ટીમને વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. બ્લેક બોક્સ ફ્લાઇટ ડેટા ઉપરાંત પાયલોટ વચ્ચે થયેલી વાતચીત અને સાથે જ તેમના અને એર ટ્રાફિક કંટ્રોલ ટાવર વચ્ચે થયેલા સંવાદને રેકોર્ડ કરે છે.  

PHOTOS: રનવે પર ક્રેશ લેન્ડીંગ, બે ટુકડામાં વહેચાઇ ગયું એર ઇન્ડીયાનું વિમાન


1. કેરલના કોઝિકોડ એરપોર્ટને વર્ષ 2011માં સરકારને 'જોખમ ભરેલું' જાહેર કર્યું હતું. 


2. અકસ્માતમાં પાયલોટ અને કો-પાયલોટ સહિત 18 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે 127 લોકો ઘાયલ થયા છે. 


DNA ANALYSIS: 'ટેબલટોપ રનવે' જ્યાં ટેકઓફ અને લેન્ડીંગ બંને જ મુશ્કેલ


3. એર ઇન્ડિયાનું કહેવું છે કે 3 રાહત ઉડાનોની વ્યવસ્થા કરવામાં આવી છે.


4. તમામ યાત્રીઓને માનવીય સહાયતા આપવા માટે દિલ્હી અને મુંબઇથી બે વિશેષ રાહતો ઉડાનોની વ્યવસ્થા કરવામાં આવી છે. ઇમરજન્સી પ્રતિક્રિયા નિર્દેશક કાલીકટ (કોઝિકોડ), મુંબઇ, દિલ્હી અને દુબઇની એજન્સીઓના સંપર્કમાં છે. 


5. દુર્ઘટનાની તપાસ માટે વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરો (AAIB), નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (DGCA) અને ઉડાન સુરક્ષા વિભાગ ઘટનાસ્થળ પર પહોંચી ચૂક્યા છે. 


6. કોઝિકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ કરવા ગયેલી નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (DGCA)ની એક ટીમને વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. બ્લેક બોક્સ ફ્લાઇટ ડેટા ઉપરાંત પાયલોટ વચ્ચે થયેલી વાતચીત અને સાથે જ તેમના અને એર ટ્રાફિક કંટ્રોલ ટાવર વચ્ચે થયેલા સંવાદને રેકોર્ડ કરે છે.  


7. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરી આજે કેરળના કોઝિકોડ પહોંચશે. 


8. નોવેલ કોરોના વાયરસની મહામારીના કારણે 23 માર્ચથી ભારતમાં આંતરરાષ્ટ્રીય મુસાફરોની ઉડાન રદ છે. 


9. વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વંદે ભારત મિશન હેઠળ ગત 6 મેથી એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા વિશેષ ઉડાનો સંચાલિત કરવામાં આવી રહી છે. ખાનગી વાહક વિમાનોને પણ વંદે ભારત મિશન હેઠળ એક નિશ્વિત સંખ્યામાં ઉડાનો સંચાલિત છે. 


10 નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે વંદે ભારત મિશન હેઠળ વિમાન 190 મુસાફરોને લઇને દુબઇથી આવી રહ્યું હતું. પાયલોટે ટેબલ ટોપ એરપોર્ટના રનવે પર વિમાન લેન્ડ કરવાનો પ્રયત્ન કર્યો હશે, જ્યાં મોનસૂનના કારણે લપસવાની સ્થિતિ હતી એટલા માટે વિમાન સ્કિડ થઇ ગયું.  


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube