ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીને બે સાંસદોવાળી પાર્ટીમાંથી મુખ્ય વિરોધ પક્ષ અને પછી સત્તાના સિંહાસન સુધી પહોંચાડવાનું શ્રેય જો કોઈને જાય છે તો તે છે રાજનીતિના લોરપુરુષ એટલે કે લાલ કૃષ્ણ આડવાણી. દેશમાં ભારતીય જનતા પાર્ટીના ઉદયમાં તેમનું સૌથી વધુ અને સૌથી મોટું યોગદાન રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1990ના દાયકામાં રામ મંદિર આંદોલન અને રથયાત્રા દ્વારા આડવાણીએ સમગ્ર ભારત દેશમાં ભાજપની એક આગવી ઓળખ ઊભી કરી હતી. દેશમાં ભાજપની લહેર ઊભી કરવાનું શ્રેય આડવાણીને જાય છે. અહીંથી જ ભારતીય જનતા પાર્ટી મજબૂત થતી ગઈ અને પછી ધીમે-ધીમે તે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને પડકાર આપનારી મુખ્ય પાર્ટી બની હતી. 


8 નવેમ્બર, 1927ના રોજ કરાચીમાં જન્મ
લાલ કૃષ્ણ આડવામીનો જન્મ 8 નવેમ્બર, 1927ના રોજ કરાચી(પાકિસ્તાન)માં થયો હતો. આજે તેઓ 91 વર્ષની વયના છે, તેમ છતાં રાજનીતિમાં સંપૂર્ણ સક્રિય જોવા મળે છે. તેમણે અટલ બિહારી વાજપેયીના સહાયક તરીકે જનસંઘમાં રાજનીતિનું કામકાજ જોવાનું શરૂ કર્યું હતું. તેઓ 1977માં બનેલી જનતા પાર્ટીની સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રી બન્યા હતા. અટલજીની સાથે આડવાણી અને મુરલી મનોહર જોશીએ ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કર્યું હતું. 


ભાજપે લોકસભા ઉમેદવારોની યાદી કરી જાહેર, જાણો મોદી-શાહ ક્યાંથી લડશે ચૂંટણી?


રાજકીય સફર 
આડવાણીનું નામ આજે સૌથી વધુ ચર્ચામાં આવી ગયું છે, તેનું કારણ તેઓ પ્રથમ વખત ગુજરાતની રાજધાની ગાંધીનગરની પોતાની પરંપરાગત બેઠક પરથી ચૂંટણી નથી લડી રહ્યા. આ વખતે તેમને ગાંધીનગર બેઠક પર ટિકિટ મળી નથી. તેઓ આ બેઠક પર સતત 6 વખત જીત્યા છે અને સંસદમાં પહોંચ્યા છે. આવો, આડવાણીની રાજકીય સફર પર નજર નાખીએ...


લોકસભા ચૂંટણી 2019: ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ લડશે લોકસભા ચૂંટણી


1982માં જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટીની રચના થઈ અને અટલ બિહારી વાજપેયી તેના પ્રથમ અધ્યક્ષ બન્યા. તેમણે હિન્દુત્વના મુદ્દે 1984ની લોકસભા ચૂંટણી લડી પરંતુ પાર્ટીને માત્ર બે લોકસભા સીટ જ મળી. ત્યાર પછી ભાજપના રામજન્મભૂમિનો મુદ્દો મળ્યો અને તેણે તેને જોરશોરથી ઉઠાવ્યો. લાલકૃષ્ણ આડવાણીએ સમગ્ર દેશમાં ગુજરાતના સોમનાથથી શરૂ કરીને રથયાત્રા કાઢી અને પાર્ટીને દેશમાં મોટું જનસમર્થન મળી ગયું. 


1991માં 10મી લોકસભા ચૂંટણીમાં તેમણે ગાંદીનગર બેઠક પરથી ચૂંટણી લડી અને મોટો વિજય પ્રાપ્ત કર્યો. 1996ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની અને રાષ્ટ્રપતિએ અટલ બિહારી વાજપેયીને સરકાર રચવા આમંત્રણ આપ્યું. જોકે, 13 દિવસમાં જ તેમની સરકાર પડી ગઈ.


જૈન હવાલા કાંડમાં નામ આવ્યા બાદ તેમણે રાજીનામું આપ્યું. 1996માં તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી હવાલા કાંડમાંથી તેમનું નામ દૂર થતું નથી તેઓ ચૂંટણી નહીં લડે. ક્લીન ચીટ મળ્યા બાદ 1998માં તેઓ ફરી ગાંધીનગરથી ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા. ત્યાર પછી સતત 19 વર્ષ સુધી તેઓ આ સીટ પરથી જીતીને સંસદ પહોંચતા રહ્યા છે. 


લોકસભા ચૂંટણી 2019: જાણો...કેવી રીતે કપાઈ લાલ કૃષ્ણ આડવાણીની ટિકિટ


આડવાણીએ ત્યાર પછી 1999, 2004, 2009 અને 2014માં આ બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતી છે. એટલું જ નહીં, સૌથી મોટા માર્જિન સાથે ચૂંટણી આ બેઠક પરથી ચૂંટણી જીતવાનો પણ તેમના નામે રેકોર્ડ છે. 90ના દાયકાનો ભાજપનો નારો હતો 'ભાજપા કી તીન ધરોહર, અટલ, આડવાણી, મુરલી મનોહર.'


ભારતના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો....