Lakhimpur Kheri Accident: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં આજે સવારે ગોઝારો અકસ્માત સર્જાયો જેમાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા. જ્યારે બે ડઝન કરતા વધુ લોકો ઘાયલ થયા છે. એવું કહેવાય છે કે સવારે જિલ્લાના ઈસાનગર પોલીસ મથક હદમાં શારદા નદી પાસે ડઝન જેટલા યાત્રાળુઓને લઈને જઈ રહેલી ખાનગી બસ અને ટ્રકની આમને સામને ટક્કર થઈ. 


લખનઉ જઈ રહી હતી બસ
ટક્કર એટલી ભયંકર હતી કે આઠ લોકોના ઘટનાસ્થળે મોત થયા જ્યારે 25 જેટલા લોકો ઘાયલ થયા. ઘાયલોમાં અનેક લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. લખીમપુર ખીરીના એડીએમ સંજયકુમારે કહ્યું કે મુસાફરો ભરેલી બસ ધૌરેહરાથી લખનઉ જઈ રહી હતી ત્યારે ઈસાનગર પોલીસ મથક હદમાં દુર્ઘટનાનો ભોગ બની. ઘાયલોને જિલ્લા હોસ્પિટલ ખસેડાયા છે. ગંભીર રીતે ઘાયલ લોકોને લખનઉ રેફર કરાયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube