નવી દિલ્હી: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. પોતાના મંગળ સંદેશમાં પીએમ મોદીએ લખ્યું છે કે તમામ દેશવાસીઓને તહેવારની હાર્દિક મંગળ કામનાઓ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BJP એ નવા રાજ્ય પ્રભારીઓની યાદી જાહેર કરી, આ ધૂરંધર નેતા સંભાળશે ગુજરાતનો પ્રભાર


પીએમ મોદીએ દર વર્ષની જેમ આ વખતે પણ સરહદવાળી દિવાળીનો સંદેશ આપ્યો હતો. પીએમએ વધુ એક ટ્વીટ કરીને તમામ દેશવાસીઓને આજે આ પાવન અવસરે પોતાના ઘર અને આસપાસ એક દીવો દેશના બહાદુર જવાનોના નામ પર પ્રગટાવવાની અપીલ કરી છે. 


અયોધ્યાએ 6 લાખ દીવા પ્રગટાવી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, જાણો CM યોગી આદિત્યનાથે શું કહ્યું


દિવાળી 2020: કાળી ચૌદશના દિવસે ભૂલેચૂકે ના કરતા આ 10 કામ, નહીં તો કંગાળ થઈ જશો


સીડીએસ અને આર્મી ચીફ સાથે રહેશે
સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદીના આ વખતના જેસલમેર પ્રવાસમાં તેમની સાથે સીડીએસ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે પણ સાથે રહેશે. છેલ્લા 7 મહિનાથી લદાખમાં ભારત-ચીન વચ્ચે યુદ્ધ જેવા હાલાત છે આવામાં પીએમ મોદી જેસલમેર પહોંચીને સૈનિકો સાથે દિવાળી ઉજવશે તો જવાનોનો ઉત્સાહ પણ ચોક્કસપણે વધશે. 


Jaisalmer માં જવાનો સાથે પીએમ નરેન્દ્ર મોદી દિવાળી ઉજવશે


લોંગેવાલા યુદ્ધ પર બની હતી બોર્ડર ફિલ્મ
લોંગેવાલા પોસ્ટ એ જ જગ્યા છે જ્યાં ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે 1065માં ભીષણ યુદ્ધ થયું હતું. તે વખતે પોસ્ટની સુરક્ષામાં તૈનાત પંજાબ રેજિમેન્ટના 120 જવાનોએ પાકિસ્તાનના 3000 જવાનોને મારી ભગાડ્યા હતા. આ ઘટના પરથી સુપરહિટ ફિલ્મ બોર્ડર બની હતી. 


જેસલમેરના પ્રવાસથી ચીન-પાકિસ્તાનને સંદેશ
સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ નરેન્દ્ર મોદીનો આ જેસલમેર પ્રવાસ ખુબ સમજી વિચારીને નક્કી કરાયો છે. આમ કરીને પીએમ મોદી વિસ્તારવાદી ચીન અને આતંકના આકા પાકિસ્તાનને એક સાથે કડક સંદેશ આપશે કે ભારત તેની છીછરી હરકતો સામે ઝૂકશે નહીં અને તે દરેક રીતે તેમને જડબાતોડ જવાબ આપશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube