ભુવનેશ્વર : ઓરિસ્સામાં આવેલા ચક્રવાત તોફાન ફાનીએ ઘણી તબાહી મચાવી છે. પુરીમાં જુની ઇમારતો, કાચા મકાનો, અસ્થાયી દુકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે. ઓરિસ્સામાં તોફાનના કારણે અત્યાર સુધી 8 લોકોનાં મોત નિપજ્યા છે જ્યારે આશરે 160થી વધારે લોકો ઘાયલ થયાનાં અહેવાલ છે. વિજળી અને ટેલિફોન  સેવા સંપુર્ણ ઠપ્પ થઇ ચુકી છે. બીજી તરફ ભુવનેશ્વરમાં એરપોર્ટ તથા એમ્સ હોસ્પિટલને ભારે નુકસાન પહોંચ્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તોફાનનાં કારણે એમ્સ ભુવનેશ્વરમાં એક ઇમારની છતનો એક હિસ્સો તુટી ગયો, પરંતુ તમામ વિદ્યાર્થીઓ સ્ટાફ તથા દર્દી સુરક્ષીત હોવાનું જણાવાઇ રહ્યું છે. ફાનીનાં કારણે ભુવનેશ્વરમાં એમ્સ પીજી 2019 પરીક્ષાને રદ્દ કરી દીધી છે. સ્વાસ્થય મંત્રાલયનાં અનુસાર સ્થિતી સામાન્ય થતા જ પરિક્ષાનું આયોજન કરવામાં આવશે. આ પરિક્ષા 5 જુલાઇ મે રવિવારે યોજાવાની હતી. બીજી તરફ એનડીઆરએફ દ્વારા રાહત અને બચાવકામગીરી ચલાવાઇ રહી છે. બીજુ પટનાયક ઇન્ટરનેશનલ એરપોર્ટને પણ તોફાનનાં કારણે ભારે નુકસાન પહોંચ્યું છે.


ઓરિસ્સાનાં કિનારાથી શુક્રવારે સવારે ફોની ચક્રવાત અથડાયું છે. ફોનીનાં કારણે ભારે વરસાદ થઇ રહ્યો છે અને હવાઓ ચાલી રહી છે. આ સમયે પુરી અને તેની આસપાસનાં વિસ્તારમાં હવાની સ્પીડ 200 કિલોમીટર પ્રતિ કલાકથી વદારે છે. રાજ્ય સરકારે ઓરિસ્સામાં આશરે 11 લાખ લોકોને સુરક્ષીત સ્થળો પર સ્થાનાંતરિત કર્યા છે. સાથે જ અન્ય લોકોનાં ઘરે જ રહેવાની સલાહ આપવામાં આવી છે. ઓરિસ્સા બાદ હવે ચક્રવાતી તોફાન ફાની પસ્ચિમ બંગાળ તરફ આગળ વધી ગયું છે. તે શુક્રવાર સુધીમાં બંગાળ કિનારે ટકરાઇ શકે છે. તે પહેલા જ ત્યાં અનેક વિસ્તારમાં ઝડપી હવાઓ ચાલવા લાગી છે. 


કોંગ્રેસનાં રાજકુમારી પ્રિયંકા ગાંધી બાળકોને ગાળો શીખવાડી રહ્યા છે: યોગી આદિત્યનાથ

ચક્રવાતી તોફાન ફાનીએ ઓરિસ્સાનાં કિનારા વિસ્તારો પર ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ ચક્રવાતમાં 8 લોકોનાં મોત થઇ ચુક્યા છે. ઘાયલોની સંખ્યા હજી સ્પષ્ટ નથી તઇ. ફાનીનાં કારણે પુરીમાં સૌથી વધારે નુકસાન થયું છે. મુખ્યમંત્રી નવીન પટનાયક સ્થિતીની સમીક્ષા કરી રહ્યા છે. કહેવાઇ રહ્યું છે કે પ્રભાવિત વિસ્તારમાં હવે કાલ પછી વિજળીનો સપ્લાય થઇ શકશે. 


મુખ્યમંત્રીઓના ઘર અને ગાડી પાછળ ખર્ચાયેલા 13 કરોડ વસુલો: હાઇકોર્ટ
ગઢચિરોલી નકસલવાદી હુમલાના માસ્ટર માઇન્ડની ઓળખ, 16 લાખનો ઇનામી કમાન્ડર

PMનો પ્રિયંકા પર વ્યંગ, નામદારની ચોથી પેઢી સાપની રમત દેખાડી મત માંગે છે



બીજી તરફ ફાનીનાં પ્રભાવથી ચંદ્રકોણાના મહારાજપુરમાં પણ અચાનક તોફાન આવી જવાનાં કારણે 3 ઘરો પર અસર દેખાઇ હતી. બે માળનું મકાન તુટીને એક માળનું થઇ ગયું હતું. જિલ્લા પરિષદમાં કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યા છે. મિદનાપુરમાં જ કુલ 45 મકાનોને ક્ષતી પહોંચી છે.