ચેન્નાઈ: મહાબલીપુરમ: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો બે દિવસનો ભારત પ્રવાસ પૂરા થઈ ગયો છે. હવે તેઓ નેપાળ જવા માટે રવાના થઈ ગયા. શનિવારે મેજબાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી વિદાય લઈને જિનપિંગ કોવલમથી ચેન્નાઈ એરપોર્ટ પહોંચ્યાં જ્યાંથી તેઓ પોતાના વિમાન દ્વારા નેપાળ જવા રવાના થયાં. આ અગાઉ તાજ ફિશરમેન  હોટલના કોવ રિસોર્ટમાં બંને નેતાઓ વચ્ચે બીજી અનૌપચારિક મુલાકાત થઈ. જે બાદ બંને દેશોના પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રવચનમાં કહ્યું કે, હું આપ સૌનું દિલથી સ્વાગત કરુ છું. ચીનની સ્થાપનાની 70મી વર્ષગાંઠ પર તમામ નાગરિકોને શુભકામનાઓ પાઠવું છું. ભારત અને ચીન દુનિયાની આર્થિક શક્તિઓ રહી છે. વર્તમાન શતાબ્દીમાં આપણે સહકારથી અગાઉનું ગૌરવ પરત મેળવીશું. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે, ભારતમાં સ્વાગત મારા માટે યાદગાર ક્ષણ છે. આ મુલાકાતથી ભારત ચીન વચ્ચે ભાવાત્મક સંબંધ બંધાયો છે. અનૌપચારિક મુલાકાતથી સંબંધમાં ઘણી પ્રગતિ થઇ છે. પીએમ મોદી અને મેં મિત્રોની જેમ વાતચીત કરી છે. 


મહાબલીપુરમના બીચ પર ફેલાયેલો હતો પ્લાસ્ટિકનો કચરો, PM મોદીએ જાતે કરી સફાઈ, જુઓ VIDEO


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત


બંને દેશો વચ્ચે આજે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીતનું પણ આયોજન કરાયું હતું. ત્યારબાદ ભારતીય વડાપ્રધાને ચીનના નેતાઓને કહ્યું કે હું તમારા બધાનો હ્રદયપૂર્વક સ્વાગત કરું છું. ચીનની સ્થાપનાની 70મી વર્ષગાઠ પર ત્યાંના તમામ નાગરિકોને શુભકામનાઓ. ઐતિહાસિક શહેર ચેન્નાઈ આપણા વચ્ચે સાંસ્કૃતિક અને વેપારી સંબંધોનું સાક્ષી છે. મને ખુશી છે કે તમને અમારા ત્યાંની સાંસ્કૃતિક ધરોહરોથી પરિચિત કરાવવાની તક મળી. છેલ્લા બે હજાર વર્ષોમાં મોટાભાગે ભારત અને ચીન દુનિયાની પ્રમુખ આર્થિક શક્તિઓ રહી છે. હવે આ શતાબ્દીમાં પણ અમે ફરી સાથે સાથે તે સ્થિતિને પ્રાપ્ત કરી રહ્યાં છીએ. ગત વર્ષે વુહાનમાં અમારી અનૌપચારિક મુલાકાત બાદ બંને પક્ષો વચ્ચે કૂટનીતિક વાતચીત વધી છે. અમે નક્કી કર્યું હતું કે મતભેદોને ઝઘડાનું કારણ નહીં બનવા દઈએ. ચેન્નાઈ સમિટમાં અત્યાર સુધી અમારી વચ્ચે દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર જરૂરી વિચારોનું આદાન પ્રદાન થયું. 


સ્વાગતથી અભિભૂત છું
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે ભારતમાં સ્વાગત મારા માટે યાદગાર ક્ષણ છે. આ પ્રવાસથી ભારત-ચીન વચ્ચે ભાવનાત્મક સંબંધ જોડાયો છે. અનૌપચારિક વાર્તાથી સંબંધોમાં ઘણી પ્રગતિ થઈ છે. મોદી સાથે ગઈ કાલે અને આજે અનેક મુદ્દાઓ પર સારી વાતચીત થઈ. પીએમ મોદી અને મે મિત્રોની જેમ વાત કરી. ચેન્નાઈ કનેક્ટ દ્વારા બંને દેશોની વચ્ચે સહયોગનો નવો દોર શરૂ થશે. આ સમિટમાં અમારી વચ્ચે વૈશ્વિક અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાતચીત થઈ. અમે નક્કી કર્યું હતું કે અમે મતભેદને મીટાવીશું અને કોઈ વિવાદ પેદા થવા દઈશું નહીં. આ દરમિયાન ભારત તરફથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશ સચિવ વિજય ગોખલે અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ હાજર હતાં. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...