નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના 40 જવાનોને આજે અંતિમ વિદાય અપાઈ રહી છે. તમામના પાર્થિવ દેહ શુક્રવારે દિલ્હી લાવવામાં આવ્યાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય મંત્રીઓ અને નેતાઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ શહીદોના પાર્થિવ દેહો તેમના વતન મોકલવામાં આવી રહ્યાં છે. પીએમ મોદીએ ભાજપના તમામ મંત્રીઓ અને સાંસદોને નિર્દેશ આપ્યા છે કે તેઓ પોત પોતાના રાજ્યોમાં આ જવાનોના અંતિમ સંસ્કાર સમયે હાજર રહે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રક્ષામંત્રી નિર્મલા સીતારમણે તામિલનાડુના તિરુચિરાપલ્લીમાં સીઆરપીએફના શહીદ કોન્સ્ટેબલ સી શિવચંદ્રનને શ્રદ્ધાંજલિ આપી. પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશના 12 જવાનો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...