Karnataka Election 2023 Result: કર્ણાટકમાં ભવ્ય જીત માટે PM મોદીએ કોંગ્રેસને આપી શુભેચ્છાઓ, રાહુલે કર્યો કટાક્ષ

Sat, 13 May 2023-6:04 pm,

Karnataka Election Result: લગભગ પાંચ મહિનાના ચૂંટણી શોર બાદ કર્ણાટકે 10મી મેના રોજ પોતાના આગામી પાંચ વર્ષનું ભવિષ્ય નક્કી કરી નાખ્યું છે. આગામી પાંચ વર્ષ સુધી કયા 224 વિધાયકો પ્રદેશ ચલાવશે તેનો નિર્ણય આજે થશે.

8 વાગ્યાના ટકોરે મતગણતરી શરૂ
Karnataka Election Result: લગભગ પાંચ મહિનાના ચૂંટણી શોર બાદ કર્ણાટકે 10મી મેના રોજ પોતાના આગામી પાંચ વર્ષનું ભવિષ્ય નક્કી કરી નાખ્યું છે. આગામી પાંચ વર્ષ સુધી કયા 224 વિધાયકો પ્રદેશ ચલાવશે તેનો નિર્ણય આજે થઈ રહ્યો છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ. 10મી મેના રોજ  કર્ણાટકમાં 224 બેઠકો માટે મતદાન થયું હતું. એકબાજુ ભાજપ ફરી સત્તામાં આવવા માટે પૂરજોશ કોશિશ કરી રહ્યો છે ત્યાં કોંગ્રેસે પણ પૂરેપૂરી તૈયારી કરી હતી કે આ વખતે ભાજપને સત્તામાંથી દૂર કરી શકાય. અનેક એક્ઝિટ પોલમાં કોંગ્રેસને લીડ મળતી જોવા મળી રહી હતી. રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાની સંભાવનાથી પણ ઈન્કાર કરી શકાય નહીં. આવામાં જેડીએસ પણ કિંગમેકર બનવાની આશા રાખી રહ્યું છે. 

Latest Updates

  • PM મોદીએ શુભેચ્છા પાઠવી : કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીત બદલ અભિનંદન. લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે મારી તેમને શુભેચ્છાઓ.

  • સીએમ બસવરાજ બોમાઈએ કહ્યું- આંતરિક લડાઈ અને અન્ય કારણોસર હાર્યા : કર્ણાટક ચૂંટણીમાં હાર બાદ સીએમ બસવરાજ બોમાઈનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે હું પાર્ટીની હારની જવાબદારી લઉં છું. બોમાઈએ કહ્યું કે પાર્ટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે કે કઈ બાબતો અમારી વિરુદ્ધમાં ગઈ છે. બોમાઈએ કહ્યું કે આંતરિક લડાઈ સિવાય અન્ય કારણો પણ હતા જેના કારણે હાર થઈ છે. બોમાઈએ વધુમાં કહ્યું કે પાર્ટી હવે લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરશે. શિગાંવ વિધાનસભા બેઠક પરથી પોતાની જીત પર બોમ્માઈએ કહ્યું, "મને ચોથી વખત જીત અપાવવા માટે શિગાંવના લોકોનો આભાર."

  • પીએમ નરેન્દ્ર મોદી અજેય નથી : દેશમાં મોદી લહેરથી હતાશામાં ધકાયેલા વિપક્ષને સંજીવની બુટ્ટી મળી છે, વિપક્ષના નેતાઓ કહી રહ્યાં છે કે આ પરિણામ દર્શાવે છે કે પીએમ નરેન્દ્ર મોદી અજેય નથી

  • કર્ણાટકમાં ગુજરાત ફેલ : દક્ષિણનો પ્રવેશ દ્વાર ગણાતા કર્ણાટકમાં અસંતોષના માહોલ વચ્ચે ભાજપે ગુજરાતની રણનીતિ અને નેતાઓની ફૌજ ઉતારી હતી. જે તમામ ફૌજના આઈડિયા ફેલ ગયા છે.

  • ભાજપના 12 મંત્રીઓ હાર્યા : કર્ણાટકમાં ભાજપનાં સૂપડાં સાફ થવાની સાથે ચાલુ સરકારના 12 મંત્રીઓ હાર્યા છે. કોંગ્રેસના ચાલેલા બુલડોઝરમાં ભાજપનો સફાયો થઈ ગયો છે. 

  • રિઝલ્ટ બાદ નથી કોઈ છૂટકો
    CM બસવરાજ બોમાઈએ લીધી જવાબદારી, કહ્યું- હારના કારણો શોધીશું, કર્ણાટકમાં ભાજપની થઈ છે ભૂંડી હાર

  • પ્રિયંકાએ માન્યો આભાર...

    કોંગ્રેસ પાર્ટીને ઐતિહાસિક જનાદેશ આપવા બદલ કર્ણાટકની જનતાનો હૃદયપૂર્વક આભાર: પ્રિયંકા ગાંધી

  • શશિ થરૂરે પાર્ટીને આપી શીખ

    કોંગ્રેસની જીત પર પાર્ટી નેતા અને સાંસદ શશિ થરૂરનું નિવેદન પણ આવ્યું છે. તેમણે લખ્યું છે કે કર્ણાટક કોંગ્રેસના સાથીઓએ જમીન પર સારું કામ કર્યું છે. થરૂરે વધુમાં કહ્યું કે, પાર્ટી દ્વારા કરવામાં આવેલા કામના પરિણામો સામે છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે કર્ણાટકની જનતાને આપેલા વચનો પૂરા કરવામાં આવે.

  • મમતા આવી ગયા મેદાને

    કર્ણાટકના લોકોને તેમના નિર્ણાયક આદેશ માટે મારી સલામ : મમતા બેનર્જી

  • કર્ણાટકમાં 1985 થી કોઈપણ પક્ષ સતત પાંચ વર્ષથી વધુ સમય સુધી સરકારમાં રહી નથી.

  • કર્ણાટકની જનતાનો જે નિર્ણય છે તેને અમે સ્વીકારીએ છીએ- સીએમ બસવરાજ બોમ્મઈ

  • કર્ણાટકમાં જે પરિણામ આવ્યું તેનાથી ભ્રષ્ટાચારીઓના માથા પર બજરંગબલીની ગદા પડી છે. આ PM મોદીની હાર છે-CM બઘેલ

  • ભાજપે બજરંગ દળને બજરંગ બલી બનાવ્યા હતા પરંતુ સાધારણ વ્યક્તિ બજરંગ બલીનો મુકાબલો કરી શકે નહીં- સીએમ ભૂપેશ બઘેલ

  • કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી કે શિવકુમારે કનકપુરા વિધાનસભા બેઠકથી જીત બાદ પ્રમાણપત્ર લીધુ. 

  • રાહુલ ગાંધીએ કહ્યું- હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું. હું દરેક કિંમત ચૂકવવા માટે તૈયાર છું. 

  • Karnataka Election 2023 Result: વર્ષો બાદ કોંગ્રેસની 'સોલિડ' એન્ટ્રી, કર્ણાટકમાં ભાજપના સૂપડાં સાફ

  • મુખ્યમંત્રીના નામ પર મલ્લિકાર્જૂન ખડગેએ આપ્યું નિવેદન
    કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે આવનારા દિવસોમાં જે જે રાજ્યોમાં ચૂંટણી હશે ત્યાં અમે કર્ણાટકની જેમ ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરીશું. અહીં (કર્ણાટક) વિધાયકોની બેઠક થશે. (મુખ્યમંત્રીના નામ પર) બધાની જે પણ સહમતિ હશે તેને હાઈકમાનની સામે રજૂ કરાશે. હાઈકમાન અંતિમ નિર્ણય લેશે. 

  • કોંગ્રેસની જીત જનતાની જીત છે, અમારી 5 ગેરંટી અમે પૂરી કરીશું- મલ્લિકાર્જૂન ખડગે
    કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે કોંગ્રેસની જીત જનતાની જીત છે, જનતાએ એક ભ્રષ્ટ સરકારને હરાવી છે. અમારે આગળ ઘણું કરવાનું છે. અમારે વચન પૂરા કરવાના છે. અમારી 5 ગેરંટી અમે પૂરી કરીશું. 

  • કર્ણાટકમાં નફરતનું બજાર બંધ, પ્રેમની દુકાન ખુલી છે- રાહુલ ગાંધી
    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે કર્ણાટકમાં નફરતનું  બજાર બંધ થયું છે. પ્રેમની દુકાન ખુલી છે. કર્ણાટકની જનતાને અમે 5 વચન આપ્યા હતા અને આ વચનોને પહેલા દિવસે કેબિનેટમાં પૂરા કરીશું. 

  • અમે પ્રેમથી આ લડાઈ લડી, કર્ણાટકે દેખાડ્યું કે આ દેશને પ્રેમ સારો લાગે છે- રાહુલ ગાંધી
    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પરિણામો પર બોલતા કહ્યું કે સૌથી પહેલા હું કર્ણાટકના અમારા કાર્યકરો, અમારા નેતાઓને અભિનંદન પાઠવું છું. કોંગ્રેસ પાર્ટી કર્ણાટકમાં ગરીબોના પડખે રહી. અમે પ્રેમથી આ લડાઈ લડી. કર્ણાટકે દેખાડ્યું કે આ દેશને પ્રેમ સારો લાગે છે. 
     

  • જય બજરંગબલી...તોડી નાખી ભ્રષ્ટાચારની નળી- કોંગ્રેસે બહાર પાડ્યો વીડિયો
    ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસે એક રસપ્રદ વીડિયો બહાર પાડ્યો છે. જય બજરંગ બલી...તોડી નાખી ભ્રષ્ટાચારની નળી

  • 32 બેઠકોનું પરિણામ જાહેર થયું, કોંગ્રેસને ફાળે 20
    ચૂંટણી પંચે 32 બેઠકોનું પરિણામ જાહેર કર્યું છે. જે મુજબ કોંગ્રેસને 20 પર જીત મળી છે જ્યારે 115 બેઠકો પર આગળ છે. ભાજપ 10 બેઠક પર જીત્યું છે અને 55 બેઠકો પર આગળ છે. જેડીએસ 2 બેઠક જીત્યું અને 18 બેઠકો પર આગળ છે. જ્યારે અન્ય 4 બેઠક પર આગળ છે. 

  • હાર જીત ભાજપ માટે મોટી વાત નથી, 2 સીટથી શરૂઆત કરીને ભાજપ આજે સૌથી મોટી પાર્ટી બની ગઈ છે- યેદિયુરપ્પા
    કર્ણાટક ચૂંટણી પરિણામો પર ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાએ કહ્યું કે હાર જીત ભાજપ માટે મોટી વાત નથી. 2 સીટથી શરૂઆત કરીને ભાજપ આજે સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. કાર્યકરોએ દુ:ખી થવાની જરૂર નથી. અમે અમારી હાર પર પુર્નવિચાર કરીશું. અમે જનતાના નિર્ણયનું સન્માન કરીએ છીએ અને અમને મત આપવા બદલ અમે જનતાનો આભાર વ્યક્ત કરીએ છીએ. 

  • કોંગ્રેસ 9 સીટ પર જીતી, 125 પર આગળ, ભાજપ 70ની અંદર
    ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ હાલ કોંગ્રેસ 9 સીટ જીતી ગઈ છે જ્યારે 125 પર આગળ છે. ભાજપ 4 સીટ જીત્યું છે અને 60 પર આગળ છે. જનતા દળ સેક્યુલર 1 બેઠક જીત્યું છે અને 21 પર આગળ છે. અન્ય 4 પર આગળ છે. 

  • જીત બાદ રડી પડ્યા કોંગ્રેસના નેતા ડી કે શિવકુમાર
    કર્ણાટકમાં જીત મળતા કોંગ્રેસના નેતા ડી કે શિવકુમાર રડી પડ્યા. તેમણે કહ્યું કે અમે ભ્રષ્ટાચારને હરાવ્યો, જનતાએ અમારા પર  ભરોસો વ્યક્ત કર્યો. 

  • 'લોકોએ જૂઠનો પર્દાફાશ કર્યો, મે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાધી, સોનિયા ગાંધીને આશ્વાસન આપ્યું હતું'
    કર્ણાટક કોંગ્રેસ પ્રમુખ ડી કે શિવકુમારે પરિણામો પર નિવેદન આપતા કહ્યું કે હું અમારા કાર્યકરો અને અમારી પાર્ટીના નેતાઓને શ્રેય આપું છું જેમણે આટલી મહેનત કરી. લોકોએ જૂઠનો પર્દાફાશ કર્યો છે. મે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને આશ્વાસન આપ્યું હતું. જ્યારે સોનિયા ગાંધી મને જેલમાં મળવા આવ્યા હતા. ત્યારે મે પદ પર રહેવાની જગ્યાએ જેલમાં રહેવાનું પસંદ કર્યું હતું, પાર્ટીને મારા પર એટલો ભરોસો હતો. એ હું ભૂલી શકું નહીં. 

  • કોંગ્રેસનો દમદાર વોટશેર, ભાજપને પડ્યો ભારે?
    રાજકીય પક્ષોને મળેલી ટકાવારી જોઈએ તો ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ કોંગ્રેસને 43 ટકા મત મળ્યા છે. જ્યારે ભાજપને ફાળે 35.9 ટકા મત આવ્યા છે. જેડીએસને 13.28 ટકા મત ગયા છે. 

  • કોંગ્રેસના નેતાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પર સાધ્યું નિશાન
    કોંગ્રેસના નેતા હરિપ્રસાદ બી કેએ કહ્યું કે નડ્ડાએ કહ્યું કે ભાજપને મત ન આપ્યો તો કોઈ કેન્દ્રીય કાર્યક્રમ નહીં મળે. કેન્દ્રીય કાર્યક્રમ માટે અમે ટેક્સ આપીએ છીએ. ટેક્સના મામલે અમારું રાજ્ય ત્રીજા નંબરે છે. અમે યુપી, બિહાર નથી. 

  • ચૂંટણી પંચ મુજબ કોંગ્રેસની 130 બેઠકો, ભાજપ 66 પર સમેટાઈ!
    ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ કોંગ્રેસ હાલ 128 બેઠકો પર આગળ છે જ્યારે 2 પર જીત મળી છે. ભાજપ 66 બેઠકો પર આગળ છે. જ્યારે જેડીએસ 22 બેઠકો પર આગળ છે. 

  • અમે અમારી હાર સ્વીકારી, હવે અમારું લક્ષ્ય 2024ની લોકસભા ચૂંટણી- કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજે
    પરિણામો પર કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજે કહ્યું કે લોકતંત્રમાં હાર જીત મોટી વાત નથી. અમે અમારી હાર સ્વીકારી છે. અમે વિપક્ષ તરીકે લડીશું અને અમારો લક્ષ્ય છે કે 2024માં લોકસભા ચૂંટણીમાં અમે તમામ બેઠકો જીતીએ. 

  • મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈના કાફલા સામે કોંગ્રેસ કાર્યકરોએ કરી ઉજવણી
    કર્ણાટક ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસે બહુમત મેળવી લીધો છે. આ અવસરે કોંગ્રેસના કાર્યકરોએ હાવેરીમાં કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈના કાફલાની સામે જ ઉજવણી કરી. 

  • કર્ણાટકમાં બહુમત નહીં મળે તો પણ હાર નહીં માને ભાજપ, સત્તામાં આવવા માટે આ છે પ્લાન
    ટ્રેન્ડ મુજબ ભાજપ બહુમતથી ઘણું દૂર છે. આવામાં તેનું સરકાર બનાવવાનું સપનું તૂટી શકે છે. પરંતુ પાર્ટીને હજુ પણ પૂર્ણ બહુમતની આશા છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે જો અમારો આંકડો બહુમતથી દૂર રહેશે તો પાર્ટી એવા પૂર્વ નેતાઓને પાછા લાવવાની કોશિશ કરશે જેમણે નિષ્ઠા બદલી છે અને જીત્યા છે. પક્ષપલટા વિરોધી કાયદાને રોકવા માટે આ નેતાઓને ભલામણ કરાશે કે તેઓ પોતાની બેઠકોથી રાજીનામું આપે અને ભાજપ સરકારનો માર્ગ મોકળો કરે.

  • બજરંગબલીની ગદા ભ્રષ્ટાચારીઓના માથે પડી- છત્તીસગઢના મુખ્યમંત્રી
    કર્ણાટક ચૂંટણી પરિણામો પર છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે કર્ણાટકના પરિણામો બિલકુલ આશા મુજબ છે. મોદીજીએ પોતાની જાતને આગળ ધરીને મત માંગ્યા હતા તો આ મોદીજીની હાર છે. બજરંગબલીની ગદા ભ્રષ્ટાચારીઓના માથે પડી અને ભાજપ સરકાર ત્યાંથી જ પતી ગઈ. 

  • જનતાએ ભાજપને આપ્યો મેસેજ, હવે ભારતને વહેંચવાની કોશિશ ન કરો-કોંગ્રેસ નેતા
    કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું કે જનતાએ ભાજપને સંદેશ આપ્યો છે કે હવે ભારતને વહેંચવાની કોશિશ ન કરો. અત્રે જણાવવાનું કે રાજ્યમાં હાલ કોંગ્રેસ 120 બેઠક પર આગળ છે. જ્યારે ભાજપ 74, જેડીએસ 23 અને અધર્સ 7 બેઠક પર આગળ છે. 

  • રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન જે માહોલ જોવા મળ્યો હતો તેનું પરિણામ- અશોક ગેહલોત
    રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે કહ્યું કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન કર્ણાટકમાં જે માહોલ જોવા મળ્યો હતો આજે તેની અસર કર્ણાટક ચૂંટણી પરિણામમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ નેતાઓએ શાનદાર કેમ્પેઈન કર્યું. કર્ણાટકે સાંપ્રદાયિક રાજકારણને નકારીને વિકાસની રાજનીતિને પસંદ કરી છે. આવનારા રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણા વિધાનસભા ચૂંટણીમાં પણ તેનું પુનરાવર્તન થશે. 

  • કોંગ્રેસ નેતા કમલનાથનું નિવેદન, ભાજપ કરશે ખરીદવાની કોશિશ
    કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથે કર્ણાટક ચૂંટણી વિશે નિવેદન આપતા કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનશે. ભાજપ વિધાયકોને ખરીદવાની કોશિશ કરશે. 

  • ભાજપ પરંપરા તોડવામાં નિષ્ફળ, કોંગ્રેસને ટ્રેન્ડમાં મળી સ્પષ્ટ બહુમતી
    કર્ણાટકમાં ભાજપ 38 વર્ષ જૂની પરંપરા તોડવામાં ચૂકી ગઈ. રાજ્યમાં 1995 બાદ કોી પણ સત્તાધારી પાર્ટી ફરી સત્તામાં વાપસી કરી શકી નથી. ભાજપને આ વખતે 80થી નીચે બેઠકો મળતી જોવા મળી રહી છે ત્યાં કોંગ્રેસે બહુમતનો 113નો આંકડો પાર કરી લીધો છે અને એકલા હાથે પ્રદેશમાં સરકાર બનાવે તેવી ઉજળી શક્યતા છે. જો આ ટ્રેન્ડ પરિણામમાં ફેરવાય તો 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે મોટો ઝટકો બની શકે છે. કારણ કે દક્ષિણ ભારતનું કર્ણાટક જ એકમાત્ર રાજ્ય છે જ્યાં ભાજપની સરકાર છે. 

  • કર્ણાટક ચૂંટણીમાં 30 બેઠકો પર કોંગ્રેસ અને ભાજપમાં કાંટાની ટક્કર
    કર્ણાટકમાં 30 એવી બેઠકો છે જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે અને મોટો ઉલટફેર સર્જી શકે તેમ છે. તેના પરિણામની અસર મોટી પડશે. 

  • કર્ણાટકમાં ભાજપને મોટો ઝટકો, પાર્ટી નેતાએ કહ્યું- અમે સારું કામ કર્યું
    કર્ણાટકમાં હાલ તો કોંગ્રેસની આંધી જોવા મળી રહી છે. સ્પષ્ટ બહુમત સાથે કોંગ્રેસ સરકાર બનાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. પરિણામો પર ભાજપના પ્રવક્તા અપરાજિતા સારંગીએ કહ્યું કે કર્ણાટકમાં અમે સારું કામ કર્યું. 

  • વધી રહી છે કોંગ્રેસની બેઠકો, જ્યારે ભાજપ માટે ચિંતાનો માહોલ
    ટ્રેન્ડમાં હાલ કોંગ્રેસ વિરોધીઓના સૂપડાં સાફ કરી રહી છે. પાર્ટી 120 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 71 બેઠકો પર અને જેડીએસ 27 બેઠકો પર આગળ છે. અન્ય 5 બેઠકો પર આગળ છે. 

  • કર્ણાટક કોંગ્રેસમાં CM પદ અંગે ખેંચતાણ! શિવકુમાર થઈ શકે છે નારાજ, જાણો શું છે મામલો
    સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસમાં હવે સૌથી મોટો સવાલ એ થશે કે મુખ્યમંત્રી કોણ બનશે. બે નેતાઓ રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. આ પદ માટે પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર સૌથી મોટા દાવેદાર માનવામાં આવે છે. કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે, પાર્ટીએ તેના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી નથી. તેમણે કહ્યું કે, સિદ્ધારમૈયા સૌથી વધુ વરિષ્ઠ નેતા છે અને તેમની પાસે સરકાર ચલાવવાનો અનુભવ છે. ડીકેએસ પડકાર ફેંકશે. અંતિમ નિર્ણય 'હાઈ કમાન્ડ'નો રહેશે. ડીકેએસ સોનિયા ગાંધીને સાંભળે છે. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ અને છ વખતના ધારાસભ્ય ડીકે શિવકુમાર (ડીકેએસ)એ મુખ્યમંત્રી પદ માટે લાંબા સમયથી રાહ જોઈ છે. અત્યાર સુધી ડીકેએસનું ધ્યાન કોંગ્રેસને કેવી રીતે સત્તામાં લાવી શકાય તેના પર હતું. હવે કોંગ્રેસ જીતી રહી છે તો ડીકેએસને નારાજ કરવાનું કોંગ્રેસને પોષાય તેમ નથી. હાલમાં કોંગ્રેસ અઢી વર્ષની ફોર્મ્યુલા પર આગળ વધે તેવી સંભાવના છે.

  • કોંગ્રેસ હેડક્વાર્ટર બહાર ફટાકડા ફોડી ઉજવણી કરાઈ, કર્ણાટકમાં ટ્રેન્ડમાં સ્પષ્ટ બહુમત
    કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલુ છે. ટ્રેન્ડમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત જોવા મળી રહ્યો છે જેનાથી ઉત્સાહિત થઈને દિલ્હીમાં AICC કાર્યાલયની બહાર આતિશબાજી થઈ. હાલ ટ્રેન્ડમાં કોંગ્રેસ 116 ભાજપ 74, જેડીએસ 28 અને અન્ય 5 બેઠકો પર આગળ છે. 

  • Karnataka Results: કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસનું શાનદાર પ્રદર્શન, આવતી કાલે કોંગ્રેસ વિધાયક દળની બેઠક
    કોંગ્રેસ વિધાયક દળની આવતી કાલે બેઠક થશે. આજે મોડી સાંજ સુધીમાં તમામ ધારાસભ્યો બેંગ્લુરુ પહોંચી જશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, કર્ણાટકના પ્રભારી રણદીપ સૂરજેવાલા, કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી કે શિવકુમાર અને કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે સી વેણુગોપાલ બેંગ્લુરુમાં જ છે. 

  • તમામ દુષ્પ્રચાર થયો પરંતુ અમે મુદ્દાઓ પર અડ્યા હતા તેના માટે જનતાએ બહુમત આપ્યો- સચિન પાયલોટ
    કોંગ્રેસ નેતા સચિન પાયલોટે અજમેરમાં કર્ણાટક ચૂંટણી પરિણામો પર નિવેદન આપતા કહ્યું કે કર્ણાટકમાં ભારે સંખ્યા સાથે અમે જીતી રહ્યા છીએ. 40 ટકા કમીશનને જનતાએ નકારી છે. તમામ દુષ્પ્રચાર થયો પરંતુ અમે મુદ્દાઓ પર અડીખમ હતા અને એટલે જનતાએ અમને બહુમત આપ્યું છે.

  • કોંગ્રેસની જીતથી વિપક્ષને મળી સંજીવની, રાઉતે કહ્યું- કર્ણાટકમાં જે થયું તે 2024માં થશે
    શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે મોટું નિવેદન આપતા કહ્યું કે જો કોંગ્રેસ કર્ણાટકમાં જીતી રહી છે તો તે PM મોદી અને અમિત શાહની હાર છે. કર્ણાટકમાં જે થઈ રહ્યું છે તે 2024માં થશે. 

  • કોંગ્રેસને હાલ ટ્રેન્ડમાં સ્પષ્ટ બહુમત, જાણો શું છે ભાજપ અને જેડીએસની સ્થિતિ
    ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ હાલ ટ્રેન્ડમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી સાથે 115 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 73 બેઠકો પર અને જેડીએસ 29 બેઠક પર આગળ છે. અધર્સ 5 બેઠક પર આગળ છે. 

  • કોંગ્રેસે તાબડતોબ ધારાસભ્યોને બેંગ્લુરુ બોલાવ્યા, ખડગે પણ પહોંચી રહ્યા છે બેંગ્લુરુ
    વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળી રહી જીતના પગલે પાર્ટીએ જીતનારા ધારાસભ્યોને તાબડતોબ બેંગ્લુરુ બોલાવ્યા છે. કોંગ્રેસે આ માટે અનેક ચાર્ટર પ્લેન પણ બૂક કરાવ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે પણ બેંગ્લુરુ પહોંચી રહ્યા છે. 

  • કોંગ્રેસની જીતથી ઉત્સાહિત કાર્યકરોએ ગુલાલ લગાડી હોળીની કરી ઉજવણી
    કર્ણાટક વિધાનસભા ચૂંટણી મતગણતરી ચાલુ છે. ટ્રેન્ડમાં કોંગ્રેસ આગળ છે. પાર્ટી કાર્યાલયની બહાર કોંગ્રેસના કાર્યકરોએ એક બીજાને ગુલાલ લગાડીને ઉજવણી કરી. 

  • હુબલી ધારવાડ-મધ્ય બેઠકમાંથી કોંગ્રેસના જગદીશ શેટ્ટાર પાછળ, હાલમાં જ બદલી હતી પાર્ટી
    હુબલી ધારવાડ-મધ્ય બેઠકથી કોંગ્રેસ નેતા જગદીશ શેટ્ટાર પાછળ ચાલી રહ્યા છે. બીજી બાજુ રાજ્યના મંત્રી સી એન અશ્વથ નારાયણ માલેશ્વરમથી આગળ છે. શેટ્ટાર એ જ નેતા છે જેઓ ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા હતા. 

  • કોંગ્રેસને મળી રહી છે ઝળહળતી સફળતા, પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંદિરમાં કરી પૂજા
    કર્ણાટકમાં કોંગ્રેસને આ વખતે ચૂંટણીમાં જબરદસ્ત સફળતા મળતી જોવા મળી રહી છે. ટ્રેન્ડમાં હાલ પાર્ટી 115 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 78 બેઠક પર આગળ છે. જેડીએસ 26 અને અધર્સ 5 બેઠક પર આગળ છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શિમલાના જાખુ મંદિરમાં પૂજા અર્ચના કરી. 

  • પિતાને મુખ્યમંત્રી બનતા જોવા માંગુ છું- યતીન્દ્ર સિદ્ધારમૈયાનું મોટું નિવેદન
    સિદ્ધારમૈયાના પુત્ર યતીન્દ્ર સિદ્ધારમૈયાએ પિતા વિશે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હું મારા પિતાને મુખ્યમંત્રી બનતા જોવા માંગુ છું. 

  • કર્ણાટકમાં કોંગ્રેસના સિરે સજશે સત્તાનો તાજ! કોંગ્રેસ મુખ્યાલય બહાર જશ્નનો માહોલ
    કર્ણાટકમાં આજે વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલુ છે. મતગણતરીમાં હાલ કોંગ્રેસનું દમદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને પાર્ટી ટ્રેન્ડમાં 121 બેઠકો પર સ્પષ્ટ બહુમત સાથે આગળ છે. જ્યારે ભાજપ 78 બેઠકો પર અને જેડીએસ 22 બેઠકો પર તથા અન્ય 3 બેઠકો પર આગળ છે. દિલ્હીમાં AICC હેડક્વાર્ટર બહાર કોંગ્રેસ સમર્થકો જશ્નમાં ડૂબ્યા છે. 

  • 'ઓપરેશન લોટસ'થી ભયભીત થઈ કોંગ્રેસ! વિધાયકોને બચાવવા માટે પાર્ટીએ તાબડતોબ કર્યું આ કામ
    કોંગ્રેસ હાલ શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. પોતાના વિધાયકોને ઓપરેશન લોટસથી બચાવવા માટે કોંગ્રેસે તમામ વિધાયકોને બેંગ્લુરુ  પહોંચવાનું કહ્યું છે. કોંગ્રેસે વિધાયકો માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી છે જેથી કરીને તેઓ જેમ બને તેમ જલદી બેંગ્લુરુમાં ભેગા થઈ શકે. 

  • કોંગ્રેસમાં CM ફોર્મ્યૂલા તૈયાર, સિદ્ધારમૈયા અને આ નેતાને બનાવવામાં આવશે મુખ્યમંત્રી
    સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે કોંગ્રેસમાં મુખ્યમંત્રી બનાવવાનો ફોર્મ્યૂલા તૈયાર છે. જે મુજબ પહેલા સિદ્ધારમૈયા મુખ્યમંત્રી બનશે અને ત્યારબાદ ડી કે શિવકુમાર મુખ્યમંત્રી બનાવવામાં આવશે. 

  • કોંગ્રેસ શાનદાર પ્રદર્શન સાથે ખુબ આગળ નીકળી
    કર્ણાટક ચૂંટણીમાં હાલ ભાજપ ટ્રેન્ડમાં સત્તા ગુમાવતો જોવા મળી રહ્યો છે. ભાજપ 76 બઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 126 બેઠકો પર આગળ છે. જેડીએસ 20 બેઠકો પર અને અન્ય 2 બેઠકો પર આગળ છે. 

  • ક્યાં કોણ આગળ
    ઉડુપીથી ભાજપના યશપાલ હાલ આગળ છે. શિકારીપુરાથી યેદિયુરપ્પાના પુત્ર વિજયેન્દ્ર યેદિયુરપ્પા આગળ છે. ભટકલમાં ભાજપના સુનિલ નાયક આગળ છે. શિવગાંવથી બસવરાજ બોમ્મઈ આગળ છે. વરુણાથી કોંગ્રેસના સિદ્ધારમૈયા આગળ છે. કનકપુરા સીટથી ડી કે શિવકુમાર આગળ  જ્યારે હુબલી ધારવાડ મધ્ય બેઠકથી જગદીશ શેટ્ટાર આગળ છે. 

  • ભાજપ કાર્યાલય પરિસરમાં સાપ જોવા મળ્યો
    કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ શિવગાંવ કેમ્પ કાર્યાલય પહોંચ્યા. અહીં પરિસરમાં સાપ જોવા મળ્યો. 

  • વોટિંગ પર્સન્ટેજમાં પણ કોંગ્રેસનો ડંકો
    ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ કર્ણાટકમાં કોંગ્રેસને 46.3 ટકા મત મળ્યા છે. જ્યારે ભાજપને અત્યાર સુધીમાં 39 ટકા મત મળ્યા છે. જ્યારે જેડીએસને 8 ટકા મત મળ્યા છે. 

  • કોંગ્રેસે ફરી મેળવ્યું બહુમત, જોવા મળી રહી છે ભારે ઉથલપાથલ
    કર્ણાટકમાં કોંગ્રેસે ફરી પાછું બહુમત મેળવ્યું છે. હાલ ભાજપ 81 જ્યારે કોંગ્રેસ 121 બેઠકો પર આગળ છે. જેડીએસ 18 બેઠક પર આગળ છે. 

  • અત્યારે કઈ પણ કહેવું ઉતાવળ રહેશે- સદાનંદ ગૌડા
    ભાજપના નેતા સદાનંદ ગૌડાએ કહ્યું કે હાલ કોઈ પણ અંતિમ નિર્ણય આપવો એ ઉતાવળભર્યું રહેશે. 3-4 રાઉન્ડ બાદ થોડું સ્પષ્ટ થશે પરંતુ આ હજુ અંતિમ નથી. દરેક તબક્કામાં આકરી લડત છે કારણ કે અમારા વિપક્ષી દળો (જેડીએસ અને કોંગ્રેસ)એ હાથ મિલાવ્યા છે. 

  • કોંગ્રેસ બહુમત મેળવ્યા બાદ દૂર ગઈ
    હાલ કોંગ્રેસ ટ્રેન્ડમાં 108 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 83 બેઠકો પર આગળ છે. જેડીએસ પણ ધીરે ધીરે આગળ નીકળી રહ્યું છે અને હાલ 19 બેઠકો પર આગળ છે. 

  • હુબલી ધારવાડમાં શેટ્ટાર આગળ
    હુમલી ધારવાડની બેઠક મહત્વની ગણાઈ રહી હતી. ત્યાંથી કોંગ્રેસમાં ગયેલા જગદીશ શેટ્ટાર હાલ આગળ છે. કોંગ્રેસ હાલ બહુમતથી 1 બેઠક દૂર છે. 112 બેઠક પર કોંગ્રેસ આગળ છે જ્યારે 72 બેઠકો પર ભાજપ આગળ છે. જેડીએસ 15 બેઠકો પર આગળ છે અને અન્ય 4 બેઠકો પર આગળ છે. 

  • ઉડુપી-શિવમોગામાં ભાજપના ઉમેદવાર આગળ
    શિવમોગાથી ભાજપના ઉમેદવાર આગળ, ઉડુપીમાં પણ ભાજપ આગળ. ઉડુપીથી જ શરૂ થયો હતો હિજાબ વિવાદ

  • 130 સીટો અમે પાર કરીશું- કોંગ્રેસ નેતા
    કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ સલીમ અહેમદે કહ્યું કે અમને વિશ્વાસ છે કે અમે 130 સીટોને પાર કરીશું અને કર્ણાટકમાં એક સ્થિર સરકાર બનાવીશું. કર્ણાટકના લોકો કોંગ્રેસની સરકાર ઈચ્છે છે. તેઓ દેશની સૌથી ભ્રષ્ટ સરકાર બદલવા માંગે છે. 

  • કોંગ્રેસે ફટકારી સેન્ચ્યુરી, ભાજપની સતત ઘટી રહી છે સીટ
    કર્ણાટકમાં જે ટ્રેન્ડ સામે આવી રહ્યા છે તેમાં કોંગ્રેસે હાલ 100થી વધુ બેઠકો પર લીડ મેળવી છે જ્યારે ભાજપની સીટ સતત ઘટી રહી છે અને 72 બેઠકો પર આગળ છે. આ જોતા એક્ઝિટ પોલ સાચા જોવા મળતા દેખાઈ રહ્યા છે. 
     

  • કોંગ્રેસે બનાવી લીડ, ભાજપને મળી ટફ ફાઈટ
    હાલ ભાજપ 81 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 87 બેઠકો પર આગળ છે. જેડીએસ પણ દમદાર પ્રદર્શન કરી રહી છે અને 15 બેઠકો પર આગળ છે જ્યારે 4 સીટ પર અન્ય આગળ છે. 

  • મતગણતરી પહેલા સીએમ બસવરાજ બોમ્મઈએ પૂજા  કરી
    કર્ણાટકમાં ચૂંટણીના પરિણામો પહેલા મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી. 

  • કર્ણાટકમાં કોંગ્રેસ અને ભાજપમાં કાંટાની ટક્કર, જેડીએસનું પણ સારું પ્રદર્શન
    હાલ કર્ણાટકમાં મતગણતરી ચાલુ છે. ભાજપ 62 બેઠકો પર અને કોંગ્રેસ 63 બેઠકો પર આગળ છે. જ્યારે જેડીએસ 10 બેઠક પર આગળ છે. અન્ય એક સીટ પર આગળ છે. હવે જોવાનું એ રહેશે કે કોણ બહુમત મેળવશે. 

  • કર્ણાટક માટે આજનો દિવસ મોટો છે- મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ
    કર્ણાટકના મુખ્યમંત્રી  બસવરાજ બોમ્મઈએ  કહ્યું કે કર્ણાટક માટે આજનો દિવસ મોટો છે કારણ કે કર્ણાટકની જનતા આગામી 5 વર્ષ માટે નિર્ણય કરશે. મને વિશ્વાસ છે કે લોકોએ ભાજપને મત આપ્યો છે. 

  • શરૂઆતમાં જ કાંટાની ટક્કર
    હાલ પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ 26 અને 27 બેઠકો પર આગળ છે. જ્યારે જેડીએસ 8 બેઠક પર અને અન્ય 1 બેઠક પર આગળ છે. 

  • 8 વાગ્યાના ટકોરે મતગણતરી શરૂ, કોણ સંભાળશે સત્તાની કમાન
    કર્ણાટકમાં 224 બેઠકો માટે થયેલા મતદાનનું આજે પરિણામ આવશે. સવારે 8 વાગ્યાના ટકોરે મતગણતરી શરૂ થઈ ગઈ છે. 

  • 'અમને સ્પષ્ટ બહુમત મળશે, અમે અમારી સરકાર બનાવીશું'
    કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્ર અને કોંગ્રેસ નેતા યતીન્દ્ર સિદ્ધારમૈયાએ કહ્યું કે અમને પૂર્ણ બહુમત મળશે અને અમે અમારી સરકાર બનાવીશું. અમને ખાતરી છે અને તમામ સર્વેક્ષણોએ પણ કહ્યું છે કે કોંગ્રેસ કર્ણાટકમાં ચૂંટણી જીતવા જઈ રહી છે. 

  • રાજ્યમાં 73.19 ટકા થયું હતું મતદાન
    કર્ણાટકમાં 10મી મેના રોજ મતદાન થયું હતું. રાજ્યમાં 73.19 ટકા મતદાન થયું. સત્તાધારી ભાજપ, કોંગ્રેસઅને પૂર્વ મુખ્યમંત્રી એચડી  દેવગૌડાની પાર્ટી જેડીએસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે. જો કે એક્ઝિટ પોલમાં કોંગ્રેસને લીડ મળતી દર્શાવવામાં આવી હતી. 

  • અમે અમારું કામ કર્યું, હવે પરિણામની રાહ જોઈ રહ્યા છીએ- ડી કે શિવકુમાર
    કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી કે શિવકુમારે કહ્યું કે અમે અમારું કામ કરી લીધુ છે. હવે અમે પરિણામની રાહ જોઈ રહ્યા છીએ. 

  • અહીં જોઈ શકાશે કર્ણાટક ચૂંટણી પરિણામ
    કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામ results.eci.gov.in પર જોઈ શકાશે. ચૂંટણી પરિણામોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી બોમ્મઈના આવાસ બહાર સુરક્ષાની ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. 

  • મેજિક આંકડો 113, સ્પષ્ટ બહુમતી મળશે કે પછી ત્રિશંકુ વિધાનસભા જોવા મળશે?
    કર્ણાટકમાં હાલ ભાજપને 116, કોંગ્રેસને 29, બીએસપી-1 અને બે અપક્ષ ધારાસભ્યો છે. 224 સીટોવાળી કર્ણાટક વિધાનસભામાં બહુમત માટે 113 સીટોની જરૂર. 
     

  • કોંગ્રેસની ઓફિસ બહાર હવન
    મતગણતરી પહેલા કોંગ્રેસની ઓફિસની બહાર કેટલાક કાર્યકરોએ પાર્ટીની જીત માટે હવન કર્યો. અત્રે જણાવવાનું કે મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને લીડ મળતી જોવા મળી હતી. 

  • બે ત્રણ કલાક રાહ જુઓ-કુમારસ્વામી
    જેડીએસ નેતા એચડી  કુમારસ્વામીએ કહ્યું કે બે ત્રણ કલાક રાહ જુઓ. બધુ સ્પષ્ટ થઈ જશે. જો કે તેમણે એ વાત ફગાવી જેમાં કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ જેડીએસનો સંપર્ક કર્યો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link