કટિહાર: બિહારમાં કટિહાર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તારિક અનવરે પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુના વિવાદીત નિવેદનની ટીકા કરી છે. બુધવારે એક નિવેદનમાં તારિકે કહ્યું કે તેઓ ધર્મના નામે રાજકારણ કરવા કરતા તો હારવું વધુ પસંદ કરશે. સિદ્ધુએ તારિક અનવરના પક્ષમાં મુસ્લિમ બહુમતીવાળી વિસ્તારમાં આયોજિત એક રેલીમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, "જો તમે એકજૂથ થઈ જાઓ તો પછી મોદી હટી જશે... છગ્ગો લગાવવો પડશે.... હું જ્યારે જવાન હતો ત્યારે હું પણ ખુબ છગ્ગા મારતો હતો. એવો છગ્ગો મારો કે મોદીને અહીંથી બાઉન્ડ્રી બહાર જવું પડે. "


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIVE લોકસભા ચૂંટણી 2019: રક્ષામંત્રી નિર્મલા સીતારમન, કમલ હસન પુત્રી શ્રુતિ સાથે મત આપવા પહોચ્યાં


તારિક અનવરે કહ્યું કે ધર્મના નામે રાજકરણ શરમજનક છે અને તે  બંધારણના નિર્માતાઓના સપનાને ચકનાચૂર કરવા જેવું છે. જો તેઓ તે રેલીમાં હાજર હોત તો સિદ્ધુને આવી ટિપ્પણી કરતા રોક્યા હોત. તારિકે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ હંમેશા તમામ ધર્મોને એક મંચ પર લાવવાનું કામ કર્યું છે અને તમામ ધર્મોને સાથે લઈને ચાલવા તથા દેશને બનાવવાનું કામ કર્યું છે. સિદ્ધુના નિવેદનની ટીકા કરતા તારિકે કહ્યું કે તેમણે આવું કોઈ નિવેદન આપવું જેવું નહતું જેમા ધર્મના નામે રાજકારણની ગંધ આવતી હોય. 


લોકસભા ચૂંટણી 2019: હેમા માલિની, કનિમોઝી સહિત આ દિગ્ગજ નેતાઓના ભાવિ આજે EVMમાં થશે કેદ 


તારિકે કહ્યું કે આવા નિવેદનોથી કોંગ્રેસ પાર્ટી અને દેશના લોકતંત્રને નુકસાન થશે. તેમણે કહ્યું કે, "હું મારા રાજકારણના જીવનના 40-50 વર્ષોમાં ક્યારેય ધર્મના નામે રાજકારણ રમ્યો નથી. આ જ કારણ છે કે મને તમામ ધર્મોનું બરાબર સન્માન મળ્યું અને આજે પણ મળે છે. હું ધર્મના નામે રાજકારણ રમવા માંગતો નથી." 


આ પણ વાંચો: ગુજરાતથી વડાપ્રધાન મોદીએ કર્યો લલકાર


જુઓ LIVE TV


દેશના વધુ સમચાારો વાંચવા માટે કરો ક્લિક...