વિશાલ પાંડે, પુરી: ભારતના ચાર ધામોમાંથી એક છે ઓડિશાના પુરીનું જગન્નાથ મંદિર. દરેક હિન્દુ જીવનમાં એકવાર જગન્નાથ મંદિરના દર્શન કરવા જરૂર ઈચ્છે છે. આ મંદિરના દર્શન કરવા માટે લોકો દુનિયાના ખુણે ખુણેથી આવે છે. આ મંદિર સમુદ્ર તટ પર છે. એવું કહે છે કે સમુદ્રની લહેરોના અવાજ આ મંદિરની અંદર એકદમ શાંત થઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મંદિરની વાસ્તુકલા અને એન્જિનિયરિંગની દુનિયામાં પ્રશંસા થાય છે. આ મંદિર ભારતની ધરોહર છે. પરંતુ આ મંદિરમાં પ્રવેશ માટે કોઈ પણ વ્યક્તિ હિન્દુ હોય તે જરૂરી છે. વર્ષ 1984માં ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પણ આ મંદિરમાં પ્રવેશ મળી શક્યો નહતો. જગન્નાથ મંદિરના સેવાકર્તા અને ઈતિહાસકારોનું કહેવું છે કે આ મંદિરમાં ફક્ત સનાતન હિન્દુ જ પ્રવેશ કરી શકે છે. બિન હિન્દુ માટે આ મંદિરમાં પ્રવેશ નિષેધ છે. 


રાહુલે PM મોદીને ફેંક્યો મોટો પડકાર, કહ્યું- 'સ્વીકારશે તે દિવસે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે'


મંદિરમાં બિન હિન્દુના પ્રવેશ પર ક્યારે લાગ્યો પ્રતિબંધ
ઈતિહાસકાર પંડિત સૂર્યનારાયણ રથશર્માએ ઝી ન્યૂઝ સાથે વાતચીતમાં કહ્યું કે ઈન્દિરા ગાંધીને 1984માં જગન્નાથ મંદિરમાં દર્શન કરવા માટે જવા નહતા દેવાયા કારણ કે ઈન્દિરાએ ફિરોઝ ગાંધી સાથે લગ્ન કર્યા હતાં. ફિરોઝ ગાંધી પારસી હતાં. રથશર્માએ જણાવ્યું કે લગ્ન બાદ યુવતીનું ગોત્ર પતિના ગોત્રમાં ફેરવાઈ જાય છે. પારસી લોકોનું કોઈ ગોત્ર હોતુ નથી. આથી ઈન્દિરા ગાંધી હિન્દુ રહ્યાં નહતાં. પંડિત સૂર્યનારાયણે એમ પણ જણાવ્યું કે હજારો વર્ષ પહેલા જગન્નાથ મંદિર પર અનેકવાર આક્રમણ થયું હતું અને આ તમામ હુમલા એક ધર્મ વિશેષના શાસકોએ કર્યાં હતાં, જેના કારણે પોતાના ધર્મને સુરક્ષિત રાખવા માટે જગનનાથ મંદિરમાં બિન હિન્દુના પ્રવેશ પર રોક લગાવવામાં આવી. 


પૂર્વ PMના પુત્રનું એલાન, 'જો મોદી ફરીથી ચૂંટણી જીત્યા તો રાજકારણમાંથી સન્યાસ લઈ લઈશ'


ઈન્દિરાને ગાંધી સરનેમ કેવી રીતે મળી
તમને જો યાદ હોય તો આ વર્ષ જાન્યુઆરીમાં ઝી ન્યૂઝે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી એક ઐતિહાસિક ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું હતું. ઝી ન્યૂઝે પહેલીવાર આખા દેશને પ્રયાગરાજના એક પારસી કબ્રસ્તાનમાં હાજર ફિરોઝ ગાંધીની કબરની તસવીરો બતાવી હતી. આ રિપોર્ટ એટલા માટે કારણ કે ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, રાહુલ ગાંધી, અને પ્રિયંકા ગાંધી, ને ગાંધી સરનેમ પંડિત જવાહરલાલ નહેરું તરફથી નહીં પરંતુ ફિરોઝ ગાંધી તરફથી મળી હતી. પરંતુ આમ છતાં ફિરોઝ ગાંધીને કોંગ્રેસ પાર્ટી તરફથી એ સન્માન ન મળ્યું જે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીને મળ્યું હતું તથા આજે રાહુલ અને પ્રિયંકાને મળે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...