Lok Sabha Security Breach: બુધવારે (13 ડિસેમ્બર) ના રોજ સંસદની સુરક્ષામાં મોટી ખામી સામે આવી છે. ઓડિયન્સ ગેલેરીમાં બેઠેલા બે લોકો સાંસદોના બેસવાની જગ્યામાં કૂદી પડ્યા અને કેન દ્વારા ધુમાડો કર્યો હતો. આ સિવાય અન્ય બે લોકોએ કેમ્પસમાં હંગામો કર્યો અને 'તાનાશાહી નહીં ચાલે' જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. સુરક્ષામાં ખામીની આ ઘટના 2001માં સંસદ પર થયેલા આતંકવાદી હુમલાની વરસી પર બની હતી. દરમિયાન ગૃહ મંત્રાલયે તપાસ માટે SITની રચના કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંત્રાલયે કહ્યું- લોકસભા સેક્રેટરી જનરલના પત્ર પર ગૃહ મંત્રાલયે સીઆરપીએફના ડીજી અનીશ દયાલ સિંહની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરી છે. તેમાં અન્ય સુરક્ષા એજન્સીઓના અધિકારી સભ્યોના રૂપમાં સામેલ થશે. 


ગૃહ મંત્રાલયે શું કહ્યું?
ગૃહ મંત્રાલયે કહ્યું- કમિટી તે વાતની તપાસ કરશે કે સુરક્ષામાં કઈ રીતે ચૂક થઈ અને સુરક્ષામાં રહેલી ખામીને જાણીને કાર્યવાહી થશે. કમિટી આ સિવાય સુરક્ષા મજબૂત કરવાને લઈને જલ્દી રિપોર્ટ આપશે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube