અમદાવાદ : ચોકીદાર શબ્દ એવો છે જે હાલમાં ટીવીમાં ખુબ સાંભળવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદી પોતાની જાતને ચોકીદાર ગણાવી રહ્યા છે અને પોતાનાં નામની આગળ ચોકીદાર શબ્દને પણ જોડ્યો છે. ભાજપનાં અનેક દિગ્ગજ રાજનેતા પણ સોશિયલ મીડિયા પર ચોકીદાર બની ચુક્યા છે. પરંતુ ગુજરાતનાં નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકાના આદિવાસી ગામ દેવ મોગરામાં સદીઓથી ચોકીદારની પુજા કરવામાં આવી રહી છે. આ ગામનાં નાગરિક દેવદારવનિયા ચોકીદારની પુજા કરે છે. તેમના અનુસાર તેઓ વર્ષોથી આ ગામની સુરક્ષા કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી રેલીને સંબોધિત કરતા કરતા અચાનક ઢળી પડ્યાં ભાજપના ઉમેદવાર

ગામના નિવાસી માનસિંહ વસાવાએ કહ્યું કે, ચૂંટણી થવાની છે તેવામાં અમે હાલનાં દિવસોમાં વડાપ્રધાન મોદીનાં ચોકીદાર શબ્દ અંગે લાંબા સમયથી સાંભળી રહ્યા છીએ. લોકો આજકાલ પોતાનાં નામની આગળ ચોકીદાર લગાવીને ગર્વ અનુભવી રહ્યા છે પરંતુ અમે ઘણા લાંબા સમયથી ચોકીદારની પુજાકરી રહ્યા છીએ.
નક્સલવાદનો છે કલંકીત ઇતિહાસ: 10 એવા હુમલા જેણે દેશને વિચલિત કરી દીધો

સ્થાનિક લોકોની માન્યતા છે કે દેવદરવનિયા ચોકીદાર માતા અને અમારી રક્ષા કરે છે. જે ભક્ત પંડોરિ માતાની પુજા કરવા માટે આવે છે તે તેમણે પહેલા ચોકીદારના મંદિરે જવુ પડે છે. આખુ વર્ષ મહારાષ્ટર્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ભક્તો અહીં દર્શન કરવા માટે આવતા રહે છે. દિવાળી અને નવરાત્રી દરમિયાન અહી મેળો ભરાય છે. સૌથી રસપ્રદ બાબત છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતા પણ ભક્તો તેને દેશી દારૂ પ્રસાદ તરીકે ચડાવે છે.