નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક કૌભાંડના સૂત્રધાર ભાગેડુ હીરા વ્યાપારી નીરવ મોદીની ધરપકડ 25 માર્ચ સુધીમાં કોઇપણ સમયે થઇ શકે છે. ઇડીના અધિકારીઓએ લંડનથી આ વાતના સંકેત મળ્યા છે. ઇડીના અધિકારી લંડનમાં નીરવ મોદી કેસથી જોડાયેલા અધિકારીઓથી સતત સંપર્કમાં છે. તપાસ અધિકારીઓનું માનવું છે કે નીરવ મોદીના કેસ મામલે થોડી ઝડપી કાર્યવાહી થઇ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: દાદી ઈન્દિરા ગાંધીની સાથે સરખામણી કરવા મુદ્દે પ્રિયંકા ગાંધીએ પહેલીવાર તોડ્યું મૌન


પ્રર્ત્યપણ મામલે વિજય માલ્યા કેસથી મળશે મદદ
તેની પાછળનું મુખ્ય કારણ આ જણાવવામાં આવી રહ્યા છે કે વિજય માલ્યા મામલે લંડનની તપાસ એજન્સીઓ અને કોર્ટ સંપૂર્ણ પ્રક્રિયા જોઇ ચુકી છે. ત્યારે, ભારતની તપાસ એજન્સીઓને પણ લંડનના કાયદાકીય પ્રક્રિયાનો અંદાજો થઇ ગયો છે. એટલા માટે આ વાતનો ફાયદો નીરવ મોદીના પ્રર્ત્યપણમાં ઉઠાવી શકાય છે. અધિકારીઓનું કહેવું છે કે નીરવ મોદીના પ્રર્ત્યપણના કેસ ઝડપથી ચાલી શકે છે.


લોકસભા ચૂંટણી 2019 : કોંગ્રેસે 9 ઉમેદવારોની છઠ્ઠી યાદી બહાર પાડી


પત્નીની સામે પણ જાહેર કરવામાં આવ્યું વોરંટ
હાલમાં જ મુંબઇની એક વિશેષ કોર્ટે નીરવ મોદીની પત્ની સામે પણ બિન-જામીન વોરંટ જાહેર કર્યું હતું. અમી મોદી (નીરવ મોદીની પત્ની) પર આરોપ છે કે, તેણે 3 કરોડ ડોલર ટ્રાંસફર કરવા માટે ઇન્ટરનેશનલ બેંક એકાઉન્ટનો ઉપ્યોગ કર્યો હતો. શંકા છે કે આ પૈસા બેંકથી લેવામાં આવેલી લોનના હતા. આ પૈસાથી ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્કમાં એક મિલકત ખરીદવામાં આવી હતી.


વધુમાં વાંચો: ભાજપને આ વખતે મળી શકે 210 સીટ, NDAની બનશે સરકારઃ શિવસેના


ઇડીએ દાખલ કરી નવી ચાર્જશીટ
માર્ટના બીજા અઠવાડીયામાં ઇડીએ નીરવ મોદીની સામે સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી હતી. ઇડીએ PMLAના અંતર્ગત અને CBIની FIRના આધારે મની લોન્ડ્રિંગના મામલે નવી ચાર્જશીટ દાખલ કરી છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...