નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાને લઈને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ યૂરોપિયન સંસદના અધ્યક્ષને પત્ર લખીને તેના પર પુનર્વિચાર કરવાનું કહ્યું છે. પત્રમાં સ્પીકરે સીએએના મહત્વને સમજાવતા જણાવ્યું કે, આ પાડોસી દેશોમાં ધાર્મિક વિરોધનો શિકાર થયેલા લોકોને સરળતાથી નાગરિકતા આપવા માટે છે અને તે નાગરિકતા છીનવતો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએએ કોઈની નાગરિકતા છીનવતું નથીઃ બિરલા
યૂરોપિયન સંસદના અધ્યક્ષ ડેવિડ મારિયા સસૌલીને લખેલા પત્રમાં સ્પીકર બિરલાએ કહ્યું કે, 'આ કાયદો (CAA) અમારા પાડોસના દેશોમાં ધાર્મિક વિરોધનો શિકાર થયેલા લોકોને સરળતાથી નાગરિકતા આપવા માટે છે. તેનો ઉદ્દેશ્ય કોઈની નાગરિકતા લેવાનો નથી. ભારતીય સંસદના બંન્ને ગૃહમાં ચર્ચા બાદ તેને પાસ કરવામાં આવ્યો છે.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...