ભોપાલ: મધ્ય પ્રદેશમાં મંત્રીમંડળની રચના બાદ ખાતાઓની ફાળવણી પણ આજે થઈ ગઈ છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નરોત્તમ મિશ્રાને ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી સોંપી છે. જ્યારે સિંધિયા જૂથના તુલસીરામ સિલાવટને જળસંસાધન મંત્રાલય મળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત કમલ પટેલને કૃષિ મંત્રાલય, ગોવિંદસિંહ રાજપૂતને ખાદ્ય અને નાગરિક પૂરવઠા ખાતું મળ્યું છે. તેમને કોઓપરેટિવ વિભાગની જવાબદારી પણ સોંપાઈ છે. જ્યારે મીના સિંહને ટ્રાઈબલ વેલફેર મંત્રાલયની જવાબદારી અપાઈ છે. આ પાંચેય મંત્રીઓએ મંગળવારે પદ અને ગોપનીયતાના શપથ લીધા હતાં. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube