Buldhana Accident: મહારાષ્ટ્રના બુલઢાણામાં સિંદખેડમાં મોટી દુર્ઘટના ઘટી છે. એક પ્રાઈવેટ બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ. અનેક લોકોના બસમાં જીવતા ભૂંજાઈને મોત થયા છે. મોતનો આંકડો હાલ 26 સુધી પહોંચ્યો છે. લગભગ 33 જેટલા મુસાફરો આ બસમાં હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. અત્રે જણાવવાનું કે આ ઘટના બુલઢાણાના સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર ઘટી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બસમાં સવાર 26 લોકોના મોત
બુલઢાણાના ડેપ્યુટી એસપી બાબુરાવ મહામુનિએ કહ્યું કે  બુલઢાણામાં સમૃદ્ધિ એક્સપ્રેસવે પર 33 મુસાફરોને લઈને જઈ રહેલી બસમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 26 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને બુલઢાણાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ રહ્યા છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube