મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નતા એકનાથ ખડસે બહુ જલદી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાઈ શકે છે. રાજ્ય સરકારમાં મંત્રી જયંત પાટીલે દાવો કર્યો છે કે શુક્રવારે બપોરે એકનાથ ખડસે એનસીપીમાં સામેલ થશે. શુક્રવારે બપોરે 2 વાગે એકનાથ ખડસેને એનસીપીની સદસ્યતા લઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીની જાસૂસ યુવતીની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, સુરક્ષા એજન્સીઓના હોશ ઉડ્યા


એનસીપીના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી જયંત પાટીલે દાવો કર્યો છે 'મને જણાવવામાં આવ્યું છે કે  ભાજપના નેતા એકનાથ ખડસેએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. અમે નક્કી કર્યું છે કે અમે તેમને એનસીપીમાં સામેલ કરીશું. સત્તાવાર રીતે શુક્રવારે બપોરે 2 વાગે તેઓ NCPમાં સામેલ થશે. એવું કહેવાય છે કે એનસીપી નેતાઓ અને એકનાથ ખડસે વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી વાતચીત ચાલુ હતી. આવામાં તેઓ ઉદ્ધવ ઠાકરે સરકારમાં કોઈ મંત્રી પદ સંભાળી શકે છે.


મહારાષ્ટ્ર: નંદુરબારમાં બસ પુલ પરથી નીચે ખાબકતા 5ના મૃત્યુ, 35 ઘાયલ, જુઓ હચમચાવી નાખે તેવા PHOTOS


આ બધી ઉથલપાથલ વચ્ચે એનસીપી નેતા શરદ પવારનું નિવેદન પણ સામે આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે એકનાથ ખડસેનું મહારાષ્ટ્રમાં ભાજપને મજબૂત કરવામાં મહત્વનું યોગદાન રહ્યું છે. આવામાં જ્યારે તેમને પાર્ટીમાં સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે તે યોગ્ય નથી. 


બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટ: વિઝન ડોક્યુમેન્ટ લોન્ચ કરતી વખતે ભાવુક થયા ચિરાગ પાસવાન


ત્યારબાદ 2019ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમને ટિકિટ મળી નહતી. એટલે તેમણે દેવેન્દ્ર ફડણવીસ પર સીધા હુમલા કરવાના શરૂ કરી દીધા હતા. જો કે તેમની પુત્રી રોહિણીને ટિકિટ મળી હતી પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા. આ ઉપરાંત એકનાથ ખડસેના વિસ્તાર જળગાવમાં હવે ગિરિશ મહાજનને પાર્ટી મહત્વ આપી રહી છે જે દેવેન્દ્ર ફડણવીસના નીકટના ગણાય છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube