હરિયાણાના નૂંહ જિલ્લામાં બ્રજમંડળ યાત્રા પર પથ્થરમારાથી શરૂ થયેલી હિંસાની ઝપેટમાં હવે સમગ્ર અહીરવાલ આવતું જોવા મળી રહ્યું છે. હિંસાની આંચ મંગળવારે ગુરુગ્રામની સાથે જ પલવલ, ફરીદાબાદ, રેવાડી જિલ્લાઓમાં મહેસૂસ થઈ. અત્યાર સુધીમાં 90થી વધુ ગાડીઓ અલગ અલગ હિંસામાં બાળી મૂકાઈ છે. બે હોમગાર્ડ સહિત 3 લોકોના મોતના સમાચાર છે. નૂંહના સાઈબહ પોલીસ મથકને ભીડે તહેસ નહેસ કરી નાખ્યું છે. નૂંહ (મેવાત) જિલ્લામાં બે દિવસ માટે કરફ્યૂ જાહેર કરાયો છે. દક્ષિણ હરિયાણાના કેટલાક ભાગોમાં અફવાઓ ફેલાતી રોકવા માટે ઈન્ટરનેટ પણ બંધ કરી દેવાયું છે. નૂંહ ઉપરાંત ફરીદાબાદ અને પલવલ જિલ્લાઓમાં પણ મંગળવારે શાળા કોલેજો બંધ કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10 મોટા અપડેટ


1. હરિયાણા સરકારે મંગળવાર સવારે લગભગ 10 વાગે દક્ષિણ હરિયાણાની સ્થિતિ પર ઓફિશિયલ નિવેદન બહાર પાડ્યું છે. રાજ્યના ગૃહમંત્રી અનિલ વિજે પીટીઆઈને જણાવ્યું કે નૂંહ, સોહના, અને તેની નજીકના જિલ્લાઓમાં હાલ સ્થિતિ કાબૂમાં છે. ઈન્ટરનેટ બંધ કરાયું છે. બે દિવસ માટે કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. નૂંહમાં પૂરતું સુરક્ષાબળ તૈનાત કરાયું છે. જરૂર પડશે તો આજુબાજુના વિસ્તારોમાંથી સુરક્ષાદળો એરલિફ્ટ કરીને નૂંહ  લાવવામાં આવશે. જેના માટે એરફોર્સને સ્ટેન્ડબાય રાખવાનો આગ્રહ કરાયો છે. અમે હાલાત પર નજર રાખી રહ્યા છીએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મામલે રિપોર્ટ લીધો છે. પ્રદેશના ડીજીપી પી કે અગ્રવાલ અને સીઆઈડી ચીફ આલોક મિત્તલ પણ નૂંહ માટે રવાના થયા છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube